![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gandhinagar : કોંગ્રેસના કયા ધારાસભ્યના ઘરમાં થઈ ચોરી? ઘરમાંથી શું શું ચોરાયું?
કોંગ્રેસના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે ચોરી થઈ છે. અંબિકાનગર વિસ્તારમાં આવેલા મકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘરમાંથી રોકડા બે લાખ રૂપિયા, 3 ટીવી અને 2 સોનાની ચેનની ચોરી થઈ છે.
![Gandhinagar : કોંગ્રેસના કયા ધારાસભ્યના ઘરમાં થઈ ચોરી? ઘરમાંથી શું શું ચોરાયું? Gandhinagar : theft from Congress MLA Baldevji Thakor, police start inquiry Gandhinagar : કોંગ્રેસના કયા ધારાસભ્યના ઘરમાં થઈ ચોરી? ઘરમાંથી શું શું ચોરાયું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/01/9c447a8eb2c833f3188b3c2e47831fc4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ કોંગ્રેસના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે ચોરી થઈ છે. અંબિકાનગર વિસ્તારમાં આવેલા મકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘરમાંથી રોકડા બે લાખ રૂપિયા, 3 ટીવી અને 2 સોનાની ચેનની ચોરી થઈ હોવાની વિગતો જાણવા મળી છે.
ગઈકાલે રાત્રે ચોરીની ઘટના બની હતી. પોતાના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર પાતાના ઘરે પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, જુલાઈમાં ગુજરાતના આ વિસ્તારમાં સામાન્ય કરતાં પણ ઓછા વરસાદનું અનુમાન
સારા વરસાદની ખેડૂતોએ હજુ પણ જોવી પડશે. હવામાન વિભાગના મતે સારા વરસાદ માટે હજુ કોઈ સિસ્ટમ સક્રિય નથી. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીવત. જુલાઈ મહિનામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તેમાં પણ જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાનું અનુમાન હવામાન વિભાગનું છે.
હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ચાર અને પાંચ તારીખે દરિયાઈ કાંઠા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ 21 ટકા વરસાદની ઘટ છે.
વાવણીમાં ઘટાડો
ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના વાવેતરમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં અંદાજે એક લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ઘટ્યું છે. જેનું પાછળનું કારણ તૌકતે વાવાઝોડું મુખ્ય માનવામાં આવે છે. ગીરનો મુખ્ય પાક મગફળી છે. પરંતુ આ વર્ષે માત્ર 25 ટકા જ મગફળીનું વાવેતર થયું છે. તૌકતે વાવાઝોડાને કારણે ખેડૂતોના પાક તો તબાહ થયા જ છે. પરંતુ વીજળી વ્યવસ્થા પણ સંપૂર્ણ ખોરવાઈ છે. ઉના અને ગીર ગઢડાના ખેતીવાડી વિસ્તારોમાં હજુ વીજપુરવઠો ઠપ્પ છે. જેના કારણે આગોતરું મગફળીનું વાવેતર અટકી ગયું છે.
સાથે ખેડૂતોને વરસાદ ખેંચાતા પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ વીજળી નથી અને બીજી તરફ ગીરમાં વાવણીલાયક વરસાદ ન પડ્યો હોવાના કારણે વાવણી થઈ શકી નથી. ખેડૂતો આભ સામે મીટ માંડીને બેઠા છે. વાવાઝોડા બાદ ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે.
અનેક ખેડૂતો એવા છે જેની પાસે મગફળીનું બિયારણ લેવાના પણ પૈસા નથી. સાથે વાવાઝોડાના નુકસાનથી જમીન જ વાવણીલાયક બની શકી નથી. હજુ પણ ગીરના ઉના અને ગીર ગઢડામા વાડી વિસ્તારો સંપૂર્ણ વીજળી વિનાના છે. ખેડૂતોના ખેતરોમા આજે પણ વીજ પોલ અને ટાંર્સફોર્મરો જમીન દોસ્ત થયેલા નજરે પડે છે. એવામાં સવાલ એ છે કે આખરે ખેડૂતોને વીજળી ક્યારે મળશે ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)