શોધખોળ કરો
Advertisement
સી.આર. પાટિલે વહેલી સવારે ક્યા દિગ્ગજ પાટીદાર નેતાના ઘરે જઈને આશિર્વાદ લીધા ?
પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર. પાટિલ સૌથી પહેલાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં આશિર્વાદ લેવા પહોંચ્યા હતા.
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રમુખ સી.આર. પાટિલે આજે સવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ઘરે જઈને તેમના આશિર્વાદ લીધા હતા. આજે સવારે ભાજપની કોર કમિટીની બેઠક પહેલાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને પાટીદાર સમાજના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર. પાટિલ સૌથી પહેલાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં આશિર્વાદ લેવા પહોંચ્યા હતા અને આજે સવારે કેશુભાઈ પટેલનાં નિવાસ સ્થાને તેમને મળ્યા હતા. કેશુભાઈએ સી.આર. પાટિલને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતા પ્રાપ્ત કરવાની શુભેચ્છા આપી હતી. સી.આર. પાટિલને ગુજરાત આલ્કલીઝના ચેરમેનપદે કેશુભાઈ પટેલના શાસનમાં જ નિમવામાં આવ્યા હતા. સી.આર. પાટિલને ગુજરાતના રાજકારણમાં મળેલી એ પહેલી મોટી તક હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion