શોધખોળ કરો

ગુજરાતના આ 8 જિલ્લામાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવવાનો ખતરો, જાણો શું છે કારણ ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી ચૂંટણીવાળા રાજ્યોમાં ચૂંટણી સભાઓ અને રેલીઓમાં ગમે એટલી ભીડ ભેગી કરવાને મંજૂરી આપી દીધી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકાર નવરાત્રિમાં ગરબાના આયોજનને મંજૂરી નથી આપતી પણ રાજ્યમાં ચૂંટણી સભાઓ અને રેલીઓને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી ચૂંટણીવાળા રાજ્યોમાં ચૂંટણી સભાઓ અને રેલીઓમાં ગમે એટલી ભીડ ભેગી કરવાને મંજૂરી આપી દીધી છે. જે રાજ્યોમાં પેટાચૂંટણી છે ત્યાં પેટાચૂંટણી હોય તે જિલ્લામાં રાજકારણીઓ ગમે તેટલી ભીડ એકઠી કરી શકશે અને રાજકીય સભા કે રેલી કરી શકશે. ગુજરાતમાં ગઢડા, કપરાડા, ધારી, મોરબી, લીંબડી, ડાંગ, કરજણ અને અબડાસા એ આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી હોવાથી કચ્છ, બોટાદ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, ડાંગ, વલસાડ અને ભરૂચ એ આઠ જિલ્લામાં ગમે તેટલી ભીડ સાથે રેલી કે સભા કરી શકાશે. આ કારણે આ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ખતરો વધી ગયો છે. આ 8 જિલ્લામાં રાજકીય પ્રચાર માટે બહારથી પણ નેતાઓ અને કાર્યકરો આવશે તેથી આ 8 જિલ્લાનાં લોકોને કોરોનાનું સંક્રમણ લાગવાનો અને કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવવાનો મોટો ખતરો છે. મોદી સરકારે નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન ગરબા અને બીજા કાર્યક્રમોને મંજૂરી નથી મળી રહી ત્યારે બીજી બાજુ પોતાના સ્વાર્થ માટે મત મેળવવા ચૂંટણી સભાને મંજૂરી આપી દીધી છે. દેશમાં અનલૉક-5 અંગે 30 જૂને જારી કરાયેલી ગાઈડલાઈનમાં કેન્દ્ર સરકારે ગુરૂવારે બિહાર વિધાનસભા ચૂંટણી અને ગુજરાત સહિતનાં 11 અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીને ધ્યાનમાં રાખી ફેરફાર કર્યા છે. ગૃહમંત્રાલયે આ રાજ્યોમાં તાત્કાલિક અસરથી રાજકીય રેલીઓ કરવાની મંજૂરી આપી દીધી છે. આ ગાઈડલાઈન પ્રમાણે ચૂંટણી અને પેટાચૂંટણીવાળાં રાજ્યોમાં નેતાઓ ખુલ્લાં મેદાનોમાં ગમે તેટલી ભીડ એકઠી કરી શકશે. અત્યાર સુધી ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ હતો. . ગૃહ મંત્રાલયે મોડી રાત્રે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે, આ દરમિયાન કોવિડ-19ના નિયમોનું પાલન કરવાનું રહેશે. ખુલ્લા મેદાનમાં સભા કરવામાં આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લોકોને ભેગા કરી શકાશે. કાર્યક્રમ યોજનારે આખા કાર્યક્રમની વીડિયોગ્રાફી પણ કરવાની રહેશે અને 48 કલાકમાં જિલ્લા વહીવટી તંત્રને સુપરત કરવાની રહેશે. બિહાર તથા વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણી હોવાથી પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ થાય તે પહેલાં આ નિર્ણય લેવાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Embed widget