શોધખોળ કરો

Gujarat Chandipura Virus Cases Update: ગુજરાતમાં વધ્યો ચાંદીપુરાનો તરખાટ, જાણો કયા જિલ્લામાં કેટલા છે કેસ

Chandipura Virus: ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસના ૪૬ દર્દી દાખલ છે તથા ૧૦ દર્દીઓને રજા આપવામાં આવી છે.  

Chandipura Virus cases update: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ બાળકો માટે કાળ બની રહ્યો છે. રોજબરોજ સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 20થી વધુ જિલ્લામાં (chandipura virus spreads more than 20 districts of state) ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે.

કયા જિલ્લામાં કેટલા કેસ

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ -૮૮ કેસો છે. જે પૈકી સાબરકાંઠા-૦૯, અરવલ્લી-૦૬, મહીસાગર-૦૨, ખેડા-૦૬, મહેસાણા-૦૫, રાજકોટ-૦૪, સુરેન્દ્રનગર-૦૩, અમદાવાદ કોર્પેરેશન-૦૭, ગાંધીનગર-૦૫, પંચમહાલ-૧૧, જામનગર-૦૫, મોરબી-૦૪, ગાંધીનગર કોપૅરેશન-૦૩, છોટાઉદેપુર-૦૨, દાહોદ-૦૨, વડોદરા-૦૧, નર્મદા-૦૨, બનાસકાંઠા-૦૪, વડોદરા કોર્પેરેશન-૦૨, ભાવનગર-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, રાજકોટ કોર્પેરેશન-૦૨ તેમજ કચ્છ-૦૧ શંકાસ્પદ કેસો મળ્યા છે.

આ તમામ પૈકી સાબરકાંઠા-૦૩, અરવલ્લી-૦૨, મહીસાગર-૦૧, ખેડા-૦૧, મહેસાણા-૦૨, સુરેન્દ્રનગર-૦૧, અમદાવાદ કોર્પેરેશન-૦૧, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૩, જામનગર-૦૧, મોરબી-૦૧, દાહોદ-૦૧, વડોદરા-૦૧, બનાસકાંઠા-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, તેમજ કચ્છ-૦૧ જીલ્લામાંથી ચાંદીપુરા કુલ-૨૨ કેસ પોઝીટીવ મળ્યા છે.

૩૬ દર્દીઓના મૃત્યુ

 ગુજરાત રાજ્યના ઉપરોક્ત-૮૮ કેસો પૈકી સાબરકાંઠા-૦૨, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૨, ખેડા-૦૧, મહેસાણા-૦૨, રાજકોટ-૦૩, સુરેન્દ્રનગર-૦૧, અમદાવાદ કોર્પેરેશન-૦૩, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૫, મોરબી-૦૩, ગાંધીનગર કોર્પેરેશન-૦૨, દાહોદ-૦૨, વડોદરા-૦૧, બનાસકાંઠા-૦૩, વડોદરા કોર્પેરેશન-૦૧ તેમજ દેવભૂમિ દ્વારકા-૦૧ એમ કુલ-૩૬ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૪૬ દર્દી દાખલ છે તથા ૧૦ દર્દીઓને રજા આપવામાં આવી છે.  રાજસ્થાનના કુલ-૦૩ કેસો જેમાં-૦૨ દર્દી દાખલ છે તેમજ-૦૧ દર્દી મૃત્યુ પામ્યા છે તથા મધ્ય પ્રદેશનાં ૦૨ કેસો જેમાં ૦૨ દર્દી દાખલ છે.

શું છે ચાંદીપુરા વાયરસ

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.

ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી : ઋષિકેશ પટેલ

થોડા દિવસ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં તમામ તાલુકામાં, આંગળવાડી, શાળાઓ અને મકાનોમાં દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે. ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી. ચાંદીપુરા વાયરસથી સાવધાની રાખવામાં આવે અને બાળકોને તાવ આવે ત્યારે મોટી હોસ્પિટલમાં સારવાર માટે જવું. 24 કલાકમાં હોસ્પિટલ જવું જરૂરી છે. આ વાયરસથી આ રીતે બચી શકાય એમ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Embed widget