શોધખોળ કરો

ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક શરૂઃ ધોરણ-9થી 11ના વર્ગો શરૂ કરવા મુદ્દે લેવાઇ શકે છે મોટો નિર્ણય

ધોરણ 12 અને ઉચ્ચ અભ્યાસક્રમો ઓફલાઇન શરૂ થયાં બાદ ધોરણ 9 થી 11 નાં  વર્ગો પણ ઓફલાઇન શરૂ થાય તેવી સંભાવના છે. આજની કેબિનેટ બેઠકમાં ધોરણ 9 થી 11 નાં વર્ગો શરૂ કરવા સંદર્ભે ચર્ચા થશે.

ગાંધીનગરઃ અત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં કેબિનેટ બેઠક શરૂ થઈ છે. આજે રાજ્યમાં ઘટી રહેલ કોરોનાં કેસો મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 12 અને ઉચ્ચ અભ્યાસક્રમો ઓફલાઇન શરૂ થયાં બાદ ધોરણ 9 થી 11 નાં  વર્ગો પણ ઓફલાઇન શરૂ થાય તેવી સંભાવના છે. આજની કેબિનેટ બેઠકમાં ધોરણ 9 થી 11 નાં વર્ગો શરૂ કરવા સંદર્ભે ચર્ચા થશે. કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ સીએમ હાઉસ મળનાર કોર ગ્રુપ બેઠકમાં પણ આ અંગે ચર્ચા થશે.

રાજ્યમા હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિ અંગે ચર્ચા થશે. મંત્રીઓએ અલગ અલગ જીલ્લાઓમા કરેલા પ્રવાસ અને તેના મુદાઓ પર ચર્ચા સંભવ છે. ઓગસ્ટ મહિનામાં સરકારની પાંચ વર્ષની ઉજવણી અંગે આખરી ઓપ અપાઈ શકે છે. આગામી સમયમાં ધોરણ 9-11 ના વર્ગો ચાલુ કરવા અંગે પણ ચર્ચા સંભવ છે. 

ગુજરાતમાં શનિવારથી ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો ઓફલાઈન શરૂ થઈ જશે ? જાણો કોણે કર્યું એલાન ?

ગુજરાતમાં કોરોનાના કેસો સાવ નહિવત થઈ ગયા છે ત્યારે હવે રાજ્ય સરકારે ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ એવી માગણી ખાનગી શાળાના સંચાલકો કરી રહ્યા છે. રાજ્ય સરકારે આ અંગે કોઈ નિર્ણય ના લેતાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એલાન કર્યું છે કે, રાજ્ય સરકાર આ મુદ્દો નિર્ણય નહીં લે તો સંચાલકો જાતે જ શનિવારથી સ્કૂલો શરૂ કરી દેશે.

 

રાજ્ય સરકારે ધોરણ 12ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપતાં છેલ્લા કેટલાક દિવસોથી સંચાલકો ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવા ઉગ્ર રજૂઆતો કરી રહ્યા છે. ખાનગી શાળાના સંચાલકોએ ગુરૂવારથી પોતાની રીતે સ્કૂલો શરૂ કરી દેવા ચીમકી આપી હતી પરંતુ બુધવારે ઈદની રજાને પગલે ગુજરાત સરકારની કેબિનેટ મીટિંગ ન મળી શકતાં સંચાલકોએ રાજ્ય સરકારને વધુ બે દિવસ આપ્યા છે. હવે ગુરૂવારે કેબિનેટની બેઠક મળે તેમ છે અને તેમાં ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવા અંગે  નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ચીમકી આપી છે કે, રાજ્ય સરકારે ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવા અંગે ગુરૂવારે નિર્ણય નહી લે તો સંચાલકો શનિવારથી શરૂ કરી દેશે.

 

ગુજરાત સરકારની કેબિનેટ મીટિંગ દર બુધવારે મળે છે. બુધવારે મળનારી કેબિનેટ મીટિંગમાં સ્કૂલો રેગ્યુલર શરૂ કરવા અંગે નિર્ણય લેવાવાનો હતો પરંતુ બકરી ઈદની રજાને પગલે સરકારની મીટિંગ મળી ન હતી. હવે ગુરૂવારે રૂપાણી કેબિનેટ મીટિંગ અને કોર કમિટીની બેઠક મળનાર છે. આ બેઠકમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કરેલ રજૂઆતને અનુલક્ષીને રાજ્યમાં ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો ઓફલાઈન શિક્ષણ માટે શરૂ કરી દેવા નિર્ણય લેવાય તેવી પૂરી શક્યતા છે.

 

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને અગાઉ ગુરૂવારથી પોતાની રીતે સ્કૂલો શરૂ કરી દેવા ચીમકી આપી હતી બુધવારે મંડળની મળેલી મીટિંગમાં સરકારને વધુ બે દિવસની મુદત અપાઈ છે અને હવે સરકાર ગુરૂવારે નિર્ણય નહી લે તો 24 જુલાઈ ને શનિવારે ગુરૂ પૂર્ણિમાના દિવસથી ધોરણ 9થી ધોરણ 11ના વર્ગો શરૂ કરવાની ચીમકી અપાઈ છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget