![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાયો
ગુજરાતમાં હાલ 606 એક્ટિવ કેસ (Active Cases) છે જ્યારે 7 દર્દી વેન્ટિલેટર પર છે. 599 દર્દીની તબિયત સ્ટેબલ છે
![Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાયો Gujarat Corona Cases: In the last 24 hours, 39 new cases of Corona were reported in Gujarat Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/16/03c2ba6a661a03f31ac4f6e05b51668d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણમાં (Gujarat Corona Cases) સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં 39 નવા કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લામાં ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 70 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,13,743 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.70 ટકા થઇ ગયો હતો.
રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ
ગુજરાતમાં હાલ 606 એક્ટિવ કેસ (Active Cases) છે જ્યારે 7 દર્દી વેન્ટિલેટર પર છે. 599 દર્દીની તબિયત સ્ટેબલ છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં સુરત કોર્પોરેશનમા સૌથી વધુ 7, વડોદરા કોર્પોરેશનમાં છ અને અમદાવાદ કોર્પોરેશનમાં પાંચ, અમરેલીમાં બે, આણંદમાં બે, દાહોદમાં બે, ગાંધીનગરમાં બે, નવસારીમાં બે, સુરતમાં બે, ભરૂચ, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, પાટણ, વડોદરા, અને વલસાડમાં કોરોનાના નવા એક-એક કેસ નોંધાયા હતા.
ક્યાં ન નોંધાયો એક પણ કેસ
છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપીનો સમાવેશ થાય છે.
કેટલા લોકોએ લીધી રસી
કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૭૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ 90 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 8,13,943 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.70% છે. રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2,73,547 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,90,27,804 પર પહોંચ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)