શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રૂપાણી સરકારમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
મારી રાજકીય બાદબાકી કરવી કોઈના વશની વાત નથી. મારી તબિયત ખરાબ હોત તો મને ક્યારનો કાઢી મૂક્યો હોત.
![રૂપાણી સરકારમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત Gujarat Minister Parsottam Solanki big statement on his Minister post in Gandhinagar રૂપાણી સરકારમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/26195041/parsottam-Solanki.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ આજે ગાંધીનગરના સેક્ટર ચાર ખાતે આવેલી કોળી સમાજની વાડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ કોળી સમાજની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોળી સમાજના આગેવાનો હાજરી આપવા માટે પહોંચ્યા છે. બેઠકમાં પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકી પણ પહોંચ્યા છે.
ગાંધીનગર પહોંચેલા પરસોત્તમ સોલંકીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારી રાજકીય બાદબાકી કરવી કોઈના વશની વાત નથી. મારી તબિયત ખરાબ હોત તો મને ક્યારનો કાઢી મૂક્યો હોત. મને હમણા કાઢવો એ કંઈ મહત્વનું નથી. આ કોળી સમાજ છે, કોળી સમાજ બહુ વિચારીને બહુ ચાલે છે. મારા માટે નહીં, સમગ્ર દેશ માટે સમાજ માટે બધા માટે કામ કરે છે. એટલે સમાજ માટે મેં જે કર્યું તે મને યોગ્ય લાગે છે.
તેમણે આજની બેઠક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હીરા સોલંકીને સંગઠનમાં લેવા માટે બેઠક બોલાવી છે. નોંધનીય છે કે, પરસોત્તમ સોલંકી રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)