શોધખોળ કરો
Ram Mandir: ગાંધીનગર રાજભવનમાં ભવ્ય રંગોળી કરીને દીવડા પ્રગટાવવામાં આવ્યા, જુઓ તસવીરો
Ram Mandir: ગાંધીનગર રાજભવનમાં ભવ્ય રંગોળી કરીને દીવડા પ્રગટાવવામાં આવ્યા, જુઓ તસવીરો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
1/7

સોમવારે (22 જાન્યુઆરી) અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો અને 500 વર્ષ પછી રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ સ્વરૂપ શ્રીરામની પ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગે ગાંધીનગર રાજભવન પ્રાંગણમાં ભવ્ય રંગોળી કરીને દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.
2/7

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ત્યાગ, પ્રેમ અને સહિષ્ણુતાનું પ્રતીક છે. આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારતીય સંસ્કૃતિ અને વિરાસતની પુનઃ પ્રતિષ્ઠા કરી છે.
3/7

પાટનગર ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રામ જ્યોત પ્રગટાવીને ઉજવણી કરી હતી. રાજભવન પ્રાંગણમાં ભવ્ય રંગોળી સાથે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.
4/7

રાજ્યપાલે રામ જ્યોતિ પ્રગટાવીને આનંદ ઉલ્લાસ સાથે ઉપસ્થિત લોકોનું મોઢુ મીઠુ કરાવ્યું હતું.
5/7

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે.
6/7

ગાંધીનગર રાજભવનમાં પણ રંગોળી અને રામ જ્યોત પ્રગટાવી ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.
7/7

પીએમ મોદીએ પણ દેશવાસીઓને રામ જ્યોતિ પ્રગટાવીને તેમના ઘરોમાં તેમનું સ્વાગત કરવાની અપીલ કરી હતી.
Published at : 22 Jan 2024 10:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
