શોધખોળ કરો

ગુજરાતમાં કોરોના કેસો વધતાં સ્કૂલો બંધ કરાવાશે કે નહીં ? જાણો રાજ્યના શિક્ષણ મંત્રી વાઘાણીએ શું આપ્યો જવાબ ?

ગુજરાત સરકાર શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેશે કે નહીં એ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. હાલમાં રાજ્યમાં ઓન લાઈન અને ઓફ લાઈન બંને પ્રકારના શિક્ષણની વ્યવસ્થા ચાલુ છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને રાજ્યની અનેક શાળામાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને કોરોનાના કેસો નોંધાયા છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેશે કે નહીં એ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. સ્કૂલો બંધ કરવા અંગે સ્પષ્ટ જવાબ આપવાના બદલે તેમણે કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ઓન લાઈન અને ઓફ લાઈન બંને પ્રકારના શિક્ષણની વ્યવસ્થા ચાલુ છે પણ ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે.

રાજ્યની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ અપાય છે ત્યા કોરોનાના નિયમોનું પાલન નથી થતું. શાળાઓમા કોરોના નિયમોનું પાલન ન થવા મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, જ્યાં જ્યાં નિયમો નું પાલન ન થઈ રહ્યું હોય ત્યાં પાલન કરવા કડક સૂચનાઓ છે અને કોઈ નિયમો ન પાળે તે નહિ ચલાવી લેવાય. અલબત્ત અત્યાર સુધી કેટલી સ્કૂલો સામે પગલાં ભરાયાં તેન વિગતો તેણે નહોતી આપી.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે,  ભારતની બાળકો માટેની વેકસીન ખૂબ જ સેફ છે અને મને સંપૂર્ણ ભરોસો છે કે બાળકોને વેકસીન આપવાનો ટાર્ગેટ આપણે નિયત સમયે પૂર્ણ કરીશું. તેમણે કહ્યું કે, કોઈ પણ બાળક રસી લીધા વિના ન રહી જાય તેની ચિંતા રાજ્ય સરકારે કરવાની છે પણ વાલીઓને સલાહ છે કે ડરવાની જરૂર નથી પણ લડવાની જરૂરિયાત છે. ગયા વખતનો સમય અને આ વખતનો સમય અલગ છે તેથી પેનિક ઉભું ન કરીએ એ જરૂરી છે.

તેમણે દાવો કર્યો કે, ગુજરાતમાં માત્ર 25 લાખ લોકો  પ્રથમ ડોઝ લીધા વિનાના બાકી છે અને 26 લાખ લોકો  રાજ્યમાં બીજા ડોઝમાં બાકી છે ત્યારે બહુ જલદી સો ટકા રસીકરણ થઈ જશે. કોરોના સામે ની લડાઈ માટે વેકસીન મહત્વની સાબિત થઈ છે તેથી સરકાર સો ટકા રસીકરણ કરાવવા માંગે છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે.  બીજી તરફ 141  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.22 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે. આજે 1,01,471  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 396, સુરત કોર્પોરેશનમાં 209,  વડોદરા   કોર્પોરેશનમાં 64 , રાજકોટ કોર્પોરેશનમાં 40,    ખેડામાં 36,  આણંદ 29,  વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17,  ગાંધીનગર કોર્પોરેશનમાં 14, સુરત 14, ભરુચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી 4, જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહીસાગર 4, દેવભૂમિ દ્વારકા 3, મહેસાણા 3, મોરબી 3, તાપી 3, બનાસકાંઠા 2, જામનગર 2, જામનગર કોર્પોરેશનમાં 2, પંચમહાલમાં 2, સાબરકાંઠા 2 અને ભાવનગરમાં એક નવો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 4753  કેસ છે. જે પૈકી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 4747 નાગરિકો સ્ટેબલ છે. 8,18,896 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10120 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે વલસાડમાં   1 મોત થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 1 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 179 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 2411 લોકોને પ્રથમ અને 20875 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9430 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 68575 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,01,471 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,96,88,888 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.  અરવલ્લી,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  નર્મદા,   પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો  મહાપ્રસાદ
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો મહાપ્રસાદ
Advertisement

વિડિઓઝ

Shefali Jariwala Death Case: એક્ટર્સ શેફાલીનું મોત કે હત્યા? | Bollywood Updates
Gujarat Rain Forecast: રાજ્યમાં હજુ છ દિવસ વરસાદની કરાઈ આગાહી
Chardham Yatra: ખરાબ હવામાનને કારણે ચારધામની યાત્રા અટકાવાઈ, જુઓ કેવી છે સ્થિતિ?
Jagannath Rath Yatra 2025 : પુરીમાં રથયાત્રા દરમિયાન 500થી વધુ લોકોની લથડી તબિયત
Shefali Jariwala:‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું નિધન, જાણો છેલ્લા 15 વર્ષથી શું હતી બિમારી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો  મહાપ્રસાદ
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો મહાપ્રસાદ
Gujarat Rain: 3 કલાક આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી
Gujarat Rain: 3 કલાક આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા, જાણો લેટેસ્ટ આગાહી
અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા, તાત્કાલીક મોકલી ટીમ
અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા, તાત્કાલીક મોકલી ટીમ
Rain Forecast: રાજ્યમાં  આગામી 6 દિવસ  ભારે  વરસાદની આગાહી, આ જિલ્લામાં  ઓરેંજ એલર્ટ
Rain Forecast: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ
Embed widget