શોધખોળ કરો
Advertisement
આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
આજે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે
હાલ ‘હિકા’ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પુણેમાં આગાહી પ્રમાણે, રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
‘હિકા’ વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્રિએટ થયા બાદ તે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. દરિયામાં ઊભા થયેલા વાવાઝોડાના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રના માછીમારોને સાવચેતી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.
આજની વાત કરીએ તો અમદાવાદ સહિત ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જોકે આજે અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં.
આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગ કરવામાં આવી છે જેમાં રાજ્યના ઉપર જણાવેલા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના રહેશે.
27 અને 28 તારીખે અરવલ્લી, દાહોદ, મહિસાગરની સાથે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સ્પોર્ટ્સ
દેશ
Advertisement