શોધખોળ કરો

વલસાડના ધરમપુર તાલુકામાં વિકાસના દાવાની ખુલી પોલ, પ્રસૂતાને 3 કિલોમીટર ઉંચકીને લઈ જવાઈ

વલસાડના ધરમપુરમાં રસ્તાના અભાવે 108 પહોંચી શકી નહોતી

વલસાડના ધરમપુર તાલુકામાં વિકાસના દાવાની પોલ ખુલી હતી. મળતી જાણકારી અનુસાર, વલસાડના ધરમપુરમાં રસ્તાના અભાવે 108 પહોંચી શકી નહોતી. ગઈકાલે રાત્રે ધરમપુરના ઢાકવડ ગામથી 3 કિલોમીટર દૂર આવેલા કુઈલીપાડા વિસ્તારમાં એક મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી હતી. રસ્તો ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ઢાકવડ ગામ સુધી જ પહોંચી શકી નહોતી. જેથી ગ્રામજનો મહિલાને 3 કિલોમીટર સુધી ઝોળીમાં ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા.

Gujarat Corona virus Case Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 331 કેસ નોંધાયા

Gujarat Corona Case Update: રાજ્યમાં આજે કોરોનાના 331 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 98 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 1997 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા છે. હાલમાં 5 લોકો વેન્ટિલેટર પર છે. આજે કોરોનાથી 376 લોકો સાજા થયા છે. 

જુઓ લીસ્ટ

ભારતમાં કોરોનાએ વધારી ચિંતા

 ભારતમાં ફરી એકવાર કોવિડ-19 (COVID-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય સક્રિય બન્યું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11,692 નવા કેસ નોંધાયા છે. હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 66 હજારથી વધુ થઈ ગઈ છે.

કોરોનાના ખતરાને જોતા હવે કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે. કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે આ રાજ્યોને સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે

તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 5.46 ટકા થઈ ગયો છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના ચેપ માટે 66170 લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જે કુલ કેસના 0.15 ટકા છે. ભારતમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.67 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,48,69,68 લોકો ચેપમુક્ત થઈ ગયા છે, જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.18 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Godhra Case: ગોધરામાં ટ્રેન કાંડના 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

Supreme Court Bailed Godhara Convicts: ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લગાવીને 59 લોકોની હત્યા કરવાના દોષિત 8 લોકોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આ તમામ લોકોને નીચલી અદાલત અને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે તેમને 17-18 વર્ષ જેલમાં વિતાવ્યાના આધારે જામીન આપ્યા હતા. જો કે, નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા અને હાઈકોર્ટ દ્વારા આજીવન કેદમાં ફેરવાયેલા 4 લોકોને કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.

જામીન મેળવનારાઓના નામ છે- અબ્દુલ સત્તાર ગદ્દી, યુનુસ અબ્દુલ હક, મોહમ્મદ. હનીફ, અબ્દુલ રઉફ, ઇબ્રાહિમ અબ્દુલ રઝાક, અયુબ અબ્દુલ ગની, સોહેબ યુસુફ અને સુલેમાન અહેમદ. આ તમામ લોકોને ટ્રેનમાં સળગતા લોકોને બહાર આવતા રોકવા માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. જે 4 લોકોને કોર્ટે આજે મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે તેમાં અનવર મોહમ્મદ, સૌકત અબ્દુલ્લા, મહેબૂબ યાકુબ મીઠા અને સિદ્દીક મોહમ્મદ મોરાનો સમાવેશ થાય છે. તેમના પર હત્યામાં સીધી સંડોવણીનો આરોપ સાબિત થયો છે. ગુજરાત સરકારે તેમને ફાંસીની સજાની માંગ કરી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
Embed widget