શોધખોળ કરો

સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ

Virpur News: વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સ્વામી જ્ઞાન પ્રકાશે સંબોધન દરિયાન જલારામ બાપા વિશે આપેલા નિવેદનને લઇને વીરપુરમાં ભક્તોમાં આક્રોશ વધ્યો વધ્યો છે.

Virpur News:સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ વાતો કરી હતી. આ વિવાદાસ્પદ નિવેદનને લઇને રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે રઘુવંશી સમાજે માંગણી કરી છે કે,  વીરપુર આવીને જ્ઞાન પ્રકાશ સ્વામી તેમના નિવેદનની માફી માંગી. જ્ઞાન પ્રકશને આ માટે આગામી  48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો તેઓ માફી નહિ માગે તો  આગામી રણનીતિ  2 દિવસ બાદ આ મામલે જાહેર કરવામાં આવશે,  

જ્ઞાન પ્રકાશ સ્વામીએ આપેલા નિવેદનને લઇને થયેલા વિવાદ બાદ આ મામલે વીરપુર ગ્રામ પંચાયતમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આજ અને કાલ બે દિવસ વીરપુર સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રઘુવંશી સમાજના અગ્રણીઓ અને જલારામ બાપાના વંશજ સહિત  લોકોએ  જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે આ સમય દરમિયાન આવતી કાલે સાંજ સુધીમાં સ્વામી જ્ઞાન પ્રકાશને માફી માંગવાનું કહેવામાં આવ્યું છે.

આખરે મામલો શું છે.

સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ કાર્યક્રમમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ ગુણાતિતાનંદ સ્વામી  અને જલારામ બાપાને લઇને કેટલાક પ્રસંગો રજૂ કર્યાં હતા. આ પ્રસંગોનું વકતવ્ય આપતા તેમણે એવું જણાવ્યું હતું કે, જલારામ બાપાએ ગુણાતિતાનંદજી સેવા કરી હતી અને તેમને સદાવ્રત અખંડ ચાલે તેવા આશિષ આપ્યાં હતા. આ આશિષના કારણે  આજે પણ સદાવ્રત ચાલી રહ્યું છે. આ તમામ પ્રસંગને જે રીતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ રજૂ કર્યાં તેને લઇને રધુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં રોષ છે. ભક્તોનું કહેવું છે કે, વિરપુર ગામમાં 205 વર્ષ પહેલાં જલારામ બાપાએ વીસ વર્ષની ઉંમરે સદાવ્રત-અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. અમરેલીના ફતેપુર ગામના પૂજ્ય ભોજલરામ એક જ માત્રા જલા બાપા ગુરૂ હતા આ  ગુરૂના આદેશથી વિક્રમ સંવત 1876ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં સદાવ્રત ચાલી રહ્યું છે.

જ્ઞાન પ્રકાશ સ્વામીના આ નિવેદનથી હવે જલારામ બાપાના ભક્તોમાં આક્રોશ છે. જો કે આ સમગ્ર મામલે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા અને તેમના ભક્તોની માફી માગતો એક વીડિયો પણ જાહેર કર્યો હતો. જો કે હજુ પણ આ ઘટનાને લઇને ભક્તોમાં વિરોધ શમ્યો નથી અને ભક્તો રૂબરૂ વીરપુર આવીને માફી માંગી તેવી માંગણી કરી રહ્યાં છે.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget