![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
3-4 દિવસના લોકડાઉનથી કંઈ નહીં થાય, ગુજરાતમાં 15 દિવસના લોકડાઉનની જરૂરત, જાણો કોણે કરી આ માગ
રાજ્યમાં કોરોનાની ગતિ બેફામ બની છે. દરરોજ સામે આવતા કેસ અને મોતના આંકડાઓ ભયાનક છે.
![3-4 દિવસના લોકડાઉનથી કંઈ નહીં થાય, ગુજરાતમાં 15 દિવસના લોકડાઉનની જરૂરત, જાણો કોણે કરી આ માગ 3-4 days lockdown will not do anything, Gujarat needs 15 days lockdown, find out who made this demand 3-4 દિવસના લોકડાઉનથી કંઈ નહીં થાય, ગુજરાતમાં 15 દિવસના લોકડાઉનની જરૂરત, જાણો કોણે કરી આ માગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/10/cb43e5a9d72eaef2762659aed7b80703_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોરોના સંક્રમણની ચેઈનને તોડવા 15 દિવસના લોકડાઉનની જરૂર છે. આ માગ કરી છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ કિરીટ ગઢવીએ. રાજ્યમાં કોરોના સંક્રમણ તેની સર્વોચ્ય સપાટીએ છે. દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે એબીપી અસ્મિતા સાથેની વાતમાં કિરીટ ગઢવીએ કહ્યુ કે, ત્રણ ચાર દિવસના લોકડાઉનથી કોઈ મતલબ નથી. કેમ કે ત્રણ ચાર દિવસ બાદ ફરી લોકોના ટોળા થાય છે. એટલે જો સંક્રમણની ચેઈન તોડવી હોય તો 15 દિવસના લોકડાઉનની જરૂર છે.
રાજ્યમાં કોરોનાની ગતિ બેફામ બની છે. દરરોજ સામે આવતા કેસ અને મોતના આંકડાઓ ભયાનક છે. દરરોજ સામે આવતા આંકડાઓ પાછલા તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. મંગળવારે કોરોનોના કેસ અને કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો હચમચાવી દે તેવો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 22, રાજકોટ કોર્પોરેશન-5, વડોદરા કોર્પોરેશન-4, સુરતમાં 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, આણંદ 1, ભરુચ 1, છોટા ઉદેપુર 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1 અને સાબરકાંઠામાં 1 મોત સાથે કુલ 67 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4922 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2251, સુરત કોર્પોરેશનમાં 1264, રાજકોટ કોર્પોરેશનમાં 529, વડોદરા કોર્પોરેશનમાં 247, જામનગર કોર્પોરેશન 187, મહેસાણા 177, સુરત 177, બનાસકાંઠા 137, વડોદરા 130, જામનગર 115, પાટણ 110, અમરેલી 98, ભરુચ 87, રાજકોટ 87, ભાવનગર કોર્પોરેશન 81, આણંદ 68, જૂનાગઢ કોર્પોરેશન 65, મોરબી 65, પંચમહાલ 61, દાહોદ 58, કચ્છ 58, ગાંધીનગર 56, સુરેન્દ્રનગર 55, ગાંધીનગર કોર્પોરેશન 54, જૂનાગઢ 48, ભાવનગર 47,ખેડા 46, સાબરકાંઠા 46, નવસારી 44, મહીસાગર 39, વલસાડ 32, અમદાવાદ 31, દેવભૂમિ દ્વારકા 27, ગીર સોમનાથ 23, નર્મદા 22 અને તાપીમાં 21 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 84,04,128 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,61,722 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 95,65,850 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)