![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Gujarat Corona: રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટના 36 કેસ નોંધાયા, જાણો કેટલા દર્દી હોમ આઇસોલેટ
ફરી કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણે ચિંતા જગાડી છે. ગુજરાતમાં ન્યુ વેરિયન્ટ JN.1ના 36 કેસ નોંધાયા છે.
![Gujarat Corona: રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટના 36 કેસ નોંધાયા, જાણો કેટલા દર્દી હોમ આઇસોલેટ 36 cases of new variant of corona have been reported in Gujarat Gujarat Corona: રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટના 36 કેસ નોંધાયા, જાણો કેટલા દર્દી હોમ આઇસોલેટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/28/a362e28c7aeffafc3a7a06696efb526f170375535280381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Corona:કોરોના વાયરસે ફરી એકવાર ચિંતા જગાડી છે. રાજ્યમાં હાલ કોરોનાના 66 કેસ એક્ટિવ છે, માત્ર અમદાવાદમાં જ 10 નવા કેસ નોંઘાય છે. જો કે આરોગ્યંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,કોરોનાના JN.1 વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી,સતર્કતા જરૂરથી રાખીએ. રાજ્યમાં JN.1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા,જેમાંથી 22 દર્દીઓ સાજા થઇ ગયા, 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે.
1 લી ડિસેમ્બરથી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા,જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. અત્યાર સુધીનો પોઝીટીવીટી રેટ 0.86 % રહ્યો છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું છે કે, “કોરોનાના JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. રાજ્યમાં કોરોનાની 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ
રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલ કોરોના કેસના જીનોમ સિકવન્સીગ ના રીપોર્ટ 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1 વેરિયન્ટના નોંધાયા છે. જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ JN.1 વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી.
આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે,”રાજ્યમાં 1 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. આમ જોતા, કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝીટીવીટી રેટ 0.86 ટકા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે હાલ કોરોનાનો પ્રકોપ ઘણો ઓછો છે,રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1 વેરિયન્ટના કેસ વધુ છે”
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)