શોધખોળ કરો
Advertisement
કચ્છ: રાપરના પલાસવા નજીક બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના મોત
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
રાપર : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પલાસવાથી સામખિયાળી તરફ આવતી બસની સામે જીપ ધડાકાભેર અથડાઈ હતી. જીપમાં સવાર 3 લોકોના મોત થયા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા રાધનપુર સારવાર માટે ખસેડાયા હતા.
પલાસવાથી ગાગોદર જતા રોડ પર એસ્સાર પંપ નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગાગોદરથી સામખિયાળી તરફ આવતી એસટી બસની સામે જીપ અથડાઈ હતી. જીપ ધડાકાભેર એસટી બસ સાથે અથડાતા જીપમાં સવાર ત્રણ મુસાફરોના મોત થયા હતા.
બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે તાત્કાલિક બનાવ સ્થળેથી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અકસ્માતને કારણે બીજી સાઈડનો માર્ગ પણ બંધ થઈ ગયો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion