શોધખોળ કરો

Gujarat accident news: ગુજરાતમાં અકસ્માતોની વણઝાર, 4 ઘટનામાં 6 લોકોએ ગુમાવ્યો જીવ

Gujarat traffic incidents: આ તમામ ઘટનાઓએ રાજ્યમાં રોડ સેફ્ટી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને લોકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.

Road accidents in Gujarat: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ સ્થળોએ થયેલા અકસ્માતોમાં અનેક લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. આ ઘટનાઓએ રાજ્યભરમાં ચિંતા ઉભી કરી છે.

ગાંધીનગરમાં થયેલી દુર્ઘટનામાં, એક મર્સિડીઝ કારે ત્રણ અન્ય વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે મહિલાઓના મૃત્યુ થયા છે. વિજાપુર તરફ જતા રસ્તા પર ઉનાવા પાટિયા નજીક, કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કારે એક પિકઅપ વાન, એક અન્ય કાર અને એક મોટરસાયકલને ટક્કર મારી હતી. રસ્તાની બાજુમાં ઉભેલી બે મહિલાઓ   જે દેરાણી જેઠાણી હતી   તેમને કારે અડફેટે લીધી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. કારના માલિક ગાંધીનગરના એક કન્સ્ટ્રક્શન ગ્રુપ સાથે સંકળાયેલા દિલીપ પટેલ છે, અને તેમનો ડ્રાઈવર આનંદ રબારી કાર ચલાવી રહ્યો હતો.

જૂનાગઢમાં, મોટી ખોડિયાર ગામ નજીક એક રિક્ષા પુલ પરથી નીચે પડી હતી, જેમાં બે લોકોના મૃત્યુ થયા છે.

મોરબી વાંકાનેર હાઈવે પર, એક કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે.

ભાવનગર રાજકોટ હાઈવે પર એક હિટ એન્ડ રન કેસ નોંધાયો છે, જ્યાં એક તેજ ગતિએ જતી કારે એક મોટરસાયકલ પર સવાર દંપતીને અડફેટે લીધું હતું. ઘાયલ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો છે.

આ તમામ ઘટનાઓએ રાજ્યમાં રોડ સેફ્ટી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને લોકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.

નોંધનીય છે કે, ભારતમાં અકસ્માતોનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં દર કલાકે 53 માર્ગ અકસ્માતો થઈ રહ્યા છે. અકસ્માતમાં દરરોજ 19 મોત થઈ રહ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના, 45 ટકા, બાઇક સવારો છે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત અંગેના 2022ના અહેવાલ મુજબ ભારતમાં 4,61,312 માર્ગ અકસ્માતો થયા છે. જેમાં 1,68,491 લોકોના મોત થયા હતા જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. ગયા વર્ષની સરખામણીમાં, તે અકસ્માતોમાં 11.9 ટકા, મૃત્યુમાં 9.4 ટકા અને ઇજાઓમાં 15.3 ટકાનો વધારો દર્શાવે છે. આપણે સાવચેતી રાખીને અકસ્માતોની સંખ્યા ઘટાડી શકીએ છીએ.

આ પણ વાંચોઃ

પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ બંધ કરે તો અમે વાતચીત માટે તૈયાર છીએ: રક્ષા મંત્રી રાજનાથ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget