શોધખોળ કરો

કચ્છમાં ભારે વરસાદથી તારાજી, માંડવી અને આસપાસના વિસ્તારમાં 12 થી 13 ઇંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર પાણી ફરી વળ્યા

બિપરજોય વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે

બિપરજોય વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.  માંડવી અને આસપાસના વિસ્તારમાં 12 થી 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને લઈને રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભારે પવન સાથે વરસાદથી માંડવીનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. કચ્છના નલિયાથી ભૂજ જવાના માર્ગ પર નદી-નાળા છલકાયા હતા.

દ્વારકાના કાંઠા વિસ્તારમાં ભારે પવન યથાવત છે. મોરબીના નવલખી બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું હતું. ભૂજ શહેર સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. શહેરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સાંતલપુર અને આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.

સુરતના બારડોલી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઓઠારા ગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઓઠારા ગામમાં પ્રવેશવાનો દ્વાર પાણીમાં ગરકાવ થયો હતો. જામનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હતા. અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. વીજપુરવઠો ફરી એકવાર યથાવત કરવાના સરકારે પ્રયાસો શરૂ કરાયા હતા. ફાયર બ્રિગેડ,PGVCLના કર્મચારીઓ કામગીરીમાં લાગી ગયા છે.

બનાસકાંઠામાં ભારે વરસાદ

બનાસકાંઠા જિલ્લા પર પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જિલ્લાના સરહદીય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા.ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. થરાદના ભડોદર સહિતના વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દ્વારકા-મોરબીમાં કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા. તોફાનમાં 22 લોકો ઘાયલ થયા હતા. તોફાનના કારણે ભાવનગરમાં બે લોકોના મોત થયા છે. ગુજરાતમાં 490 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ચાર તાલુકામાં વીજ પુરવઠો બંધ થયો હતો. વાવાઝોડાનાં કારણે અબડાસામાં 78 , લખપતમાં 58 , નખત્રાણામાં 46 અને ભુજ તાલુકામાં 115 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો.

કચ્છના તમામ તાલુકાઓમાં વીજપોલ ધરાશાયી થયા હતા. દ્વારકા અને ઓખામાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા.  દ્વારકા જિલ્લાના અનેક ગામોમાં વીજળી ગુલ થઇ હતી. ભૂજથી મુન્દ્રા માર્ગ પર અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયાથી ભૂજના રસ્તા પર પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી માંડવીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માંડવીના અનેક વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govind Dholakia : લેબગ્રોનના કારણે હીરા ઉદ્યોગમાં મંદી! ગોવિંદ ધોળકીયાના નિવેદનથી વિવાદના એંધાણSurendranagar : સુરેન્દ્રનગરમાં લારીધારકોને જગ્યા ફળવાશે, આગામી દિવસોમાં ડ્રોની તારીખ કરાશે જાહેરAmbalal Patel Prediction : ફેબ્રુઆરીની મહિનાની શરુઆતમાં માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Mahakumbh 2025:  મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Embed widget