શોધખોળ કરો

Gujarat: રાજ્યમાં બે દિવસ બાદ ઠંડી ભૂક્કા કાઢશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મંગળવારે અને બુધવાર તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે.

ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મંગળવારે અને બુધવાર તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. ઉત્તરાયણ પહેલા ઠંડીનો ચમકારો ફરી એક વખત જોવા મળશે. 13 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ત્રણ દિવસ તાપમાન ઘટતા ઠંડીનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહી શકે છે. ઉત્તરાયણના દિવસે દિવસે પવનની ગતી 10 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે કેટલાક સ્થળો ઉપર પવનની ગતિ 20 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. નલિયામાં પણ શીત લહેરની શક્યતા બની શકે છે.

લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત

ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી ઘટતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. ગત રાત્રિએ 12.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં 10 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.

અમદાવાદમાં 16.7  ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી વધીને 30.6 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 17.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

ગુજરાત સરકાર કરાર આધારિત અને આઉટ સોર્સિંગ પ્રથા કરી શકે છે નાબૂદ 

યુવાનો માટે સૌથી સારા સમાચાર આવ્યા છે.  ગુજરાત સરકાર કરાર આધારિત અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરી શકે છે.  સરકારના આગામી બજેટમાં આ અંગેની જોગવાઈ કરી શકે છે.  કરાર આધારિત અને આઉટ સોર્સિંગ પ્રથાના બદલે હવે કાયમી નિમણૂંક થશે.  હાલમાં 11 માસના કરાર આધારિત અલગ- અલગ સરકારી વિભાગોમાં 7 લાખ લોકો કામ કરે છે. જો કરાર આધારિત કે આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરે તો રાજ્યના સાત લાખ યુવાનોને સીધી સરકારી નોકરી મળી શકે છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
Advertisement

વિડિઓઝ

Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
Embed widget