શોધખોળ કરો

અમરેલીઃ માનવભક્ષી દીપડાનો આતંક યથાવત, બગસરાના લુંઘીયા ગામે મોડી રાત્રે દીપડાના બે હુમલા

ગત મોડી રાત્રે બગસરાના લુંઘીયા ગામે મોડી રાત્રે દીપડાએ એક મહિલા અને ભેંસના પાડા પર હુમલો કર્યો હતો. માનવ ભક્ષી દીપડાના એકજ રાતમાં બે હુમલાથી બગસરાના લુંઘીયામાં સ્થાનિકોમાં ભારે ખોફ જોવા મળી રહ્યો છે.

અમરેલીઃ દીપડાએ સૌરાષ્ટ્રના 5 તાલુકામાં છેલ્લા એક વર્ષમાં 17 જણાના જીવ લીધા હોવાનો વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો દાવો કર્યો હતો. અમરેલીના બગસરામાં માનવભક્ષી દીપડાએ છેલ્લા પાંચ દિવસમાં ત્રણ વ્યકિતનો ભોગ લીધા બાદ પકડી પાડવા મેગા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. તેમ છતાં ગત મોડી રાત્રે બગસરાના લુંઘીયા ગામે મોડી રાત્રે દીપડાએ એક મહિલા અને ભેંસના પાડા પર હુમલો કર્યો હતો. માનવ ભક્ષી દીપડાના એકજ રાતમાં બે હુમલાથી બગસરાના લુંઘીયામાં સ્થાનિકોમાં ભારે ખોફ જોવા મળી રહ્યો છે. દીપડાના હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. દયાબેન માળવી નામની મહિલાને બગસરાની સરકાર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દીપડો ગામમાં ઘુસી આવ્યો તેમજ લોહી તરસ્યો થયા હોવાના સમાચારથી ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. લોકોએ પોતાની જાતને ઘરમાં જ કેદ કરી લીધી હતી. એકાએક હુમલાની ઘટનામાં વધારો થતા વન વિભાગ અને પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. અમરેલીના બગસરા અને આસપાસના વિસ્તારોમાં માનવભક્ષી દીપડાના વધી રહેલા ત્રાસને કારણે તેને પકડી પાડવા મેગા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા કલેકટર અને સીસીએફે સયુંકત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમરેલી, જૂનાગઢ અને ગાંધીનગર વનવિભાગાના કર્મચારીઓ સંયુક્ત ઓપરેશન હાથ ધરશે, માનવભક્ષી દીપડાને ઠાર મારવા વનવિભાગના સ્પે. શૂટરો કામે લાગ્યા છે. બગસરા પંથકમાં 30 પાંજરા, સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વનવિભાગના ઓપરેશનમાં અમરેલી જિલ્લા પોલીસની ટીમ પણ જોડાશે. આજે સાંજથી મેગા ઓપરેશન શરૂ થશે. ઓપરેશન દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાંજે 7 વાગ્યા બાદ ખેડૂતો અને ખેતમજૂરોને ખેતર નહીં જવા અનુરોધ કરાયો હતો. આ મામલે ગઈકાલે વિસાવદરના ધારાસભ્ચ હર્ષદ રિબડીયાએ જણાવ્યું, 'અમારા પાંચ તાલુકામાં 17 લોકોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા, 67 લોકોને ઘાયલ કર્યા. જંગલ ખાતું દીપડાને કેમ ઠાર નથી મારી શકતા, મારે ન છૂટકે હથિયાર ધારણ કરવું પડ્યું, લોકોની રક્ષા કરવી અમારી ફરજ છે. આજે ખેડૂત આગેવાન તરીકે હથિયાર લઈને નીકળ્યો છે. જંગલ ખાતુ દીપડાને ન પકડી શકે તો અમે ઠાર મારવા સક્ષમ છીએ હું આજે જનપ્રતિનિધિ તરીકે નીકળ્યો છું અને હું જંગલ ખાતાને કહેવા માંગું છું કે તમે ન મારી શકો તો હું ઠાર મારીશ'
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Embed widget