Education News:રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આજથી 'બેગલેસ ડે'નો પ્રારંભ, જાણો શું કરાવાશે પ્રવૃત્તિ
Education News:રાજ્ય શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આજથી જ બેગલેસ શેટરડેનો પ્રારંભ થયો છે. દર શનિવારે બાળકોને સ્કૂલ બેગ વિના જ શાળાએ જવાનું રહેશે.

Education News:ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઇ શનિવારથી એટલે આજથી બેગલેસ ડેનો પ્રારંભ થયો છે. જેમાં બાળકો શનિવારે બેગ વિના સ્કૂલે આવશે અને બાળકોને ઇત્તર પ્રવૃતિ કરાવાશે.
બાળકોની કલા પ્રતિભાને ખીલલવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડેનું સેલિબ્રેશન થશે. જેમાં બાળકો દર શનિવારે સ્કૂલબેગ પુસ્તકો વિના શાળાએ આવશે અને આ બાળકોને પુસ્તકના જ્ઞાન સિવાયની ઇત્તર પ્રવૃતિ કરાવવામાં આવશે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આજથી શનિવાર ( 5 જુલાઈ)થી નો સ્કૂલબેગનો અમલ થયો છે. ઉલ્લેખનિય છે કે, ન્યુ એજન્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે.
ન્યુ એજ્યુકેશન પોલીસીના હેઠળ બાળકોને દર શનિવારે હવે સ્કૂલ બેગ વિના જ બાળકોને સ્કૂલે બોલાવવામા આવશે અને બાળકોની અન્ય પ્રતિભાને ખીલલવાનો પ્રયાસ કરાશે, બેગલેસ ડે શરૂ કરવાનો ઉદેશ બાળકોનો સર્વાગી વિકાસ કરવાનો છે. શનિવારના દિવસે શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ નહિ પરંતુ માત્ર ધ્યાન ઈતર પ્રવૃત્તિઓ જ કરાવવામાં આવશે.
5 જુલાઇથી એટલે ક આજથી આ નિયમ અમલી કરવામાં આવ્યો છે. જો કે સ્કૂલબેગલેસ આ દિવમસાં બાલકોને ખાસ કઇ કઇ પ્રવૃત્તિ કરાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી જો કે બેગલેસ ડે શબ્દ જ બધું જ સૂચવી જાય છે માટે આ દિવસે બાળકોને શિક્ષણ સિવાયની બધી જ પ્રવૃત્તિ કરાવવામાં આવશે. જેમાં ચિત્રકળા, નૃત્યુ, સંગીત યોગ, કસરસતો, મેદાની રમતો સહિતની પ્રવૃતિનો સમાવેશ થઇ શકે છે. આ અંગે કમિટીના નિર્ણય બાદ સ્પષ્ટતા થશે. ઉલ્લેખનિય છે કે હાલ આ નિર્ણય બાગ શાળામાં બાળકોને શારીરિક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. બેગલેસ ડેના સેલિબ્રેશનનો ઉદેશ ન માત્ર બાળકોને ઇત્તર પ્રવૃતિ કરાવીને તમને અન્ય કલા પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે પરંતુ આ સાથે બાળકો ભાણ વગરનું ભણતર ગ્રહણ કરે અને માનસિક હળવાશ સાથે અભ્યાસ કરે તેવો ફણ છે. વીકએન્ડને આનંદમય બનાવતા બાળકો માનસિક રીતે પણ પ્રફુલ્લિત રહેશએ અને જેથી સોમવારથી વધુ સારી રીતે અને એકાગ્રચિતે અભ્યાસ કરી શકે. બેગ ડેથી બાળકો તણાવ મુક્ત થાય તેવો ઉદેશ પણ છે. તો આગામી 5 જુલાઇથી જ દર શનિવારે બેગલેસ ડેની પ્રાથમિક શાળામાં ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.





















