શોધખોળ કરો

Heart Attack: બનાસકાંઠાના રામભક્તને અયોધ્યામાં હાર્ટએટેક, દર્શન કર્યા બાદ મંદિરમાં ઢળી પડ્યો, મોત

બનાસકાંઠામાં આધેડને હાર્ટ એટેક આવતા નોખા ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે, રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે

Banaskantha News: રાજ્યમાં યુવાનો, બાળકો અને વૃદ્ધોને હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો હજુ યથાવત છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરના એક 55 વર્ષીય આધેડનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ખાસ વાત છે કે, દિયોદરનો આ વ્યક્તિ અયોધ્યા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો, ત્યારે દર્શન કર્યા બાદ હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો. બાદમાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

બનાસકાંઠામાં આધેડને હાર્ટ એટેક આવતા નોખા ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે, રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના નોખા ગામના રામભક્ત ગોરધનભાઈ ઠાકોરનું અયોધ્યામાં હાર્ટએટેકથી નિધન થયુ છે. ગોરધાનભાઇ ઠાકોર તાજેતરમાં જ અયોધ્યા મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિરમાં દર્શન કરી રહ્યાં હતા તે સમયે તમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. મંદિરમાં ગોરધનભાઇ ઢળી પડતા તેમને તાત્કાલિક હૉસ્પીટલમાં લઇ જવાયા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમે તમને મૃત જાહેર કર્યા હતા. ગોરધનભાઇના નિધનની સાથે જ સાથી રામભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. ગોરધનભાઇ ઠાકોરની સાથે દિયોદર ભાજપ સંગઠનના કાર્યકરો પણ તેમની સાથે અયોધ્યા ગયા હતા. નોખા ગામના 55 વર્ષીય ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોરનું મોત થતાં પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

અચાનક બેહોશ થઈ મોતનો સિલસિલો યથાવત, પાંડેસરામાં યુવકે ગુમાવ્યો જીવ

સુરતમાં અચાનક બેહોશ થઈ ગયા બાદ મોતનો સિલસિલો યથાવત છે. પાંડેસરા વિસ્તારમાં યુવક નું અચાનક બેહોશ થઇ જતા મોત થયું હતું. પાંડેસરાના ગીતા નગરમાં રહેતા 30 વર્ષીય વિરલ રાઠોડનું મોત થયું હતું. પરિવાજનોએ હાર્ટ અટેક ની આશંકા વ્યક્ત કરી હતી. જો કે ડૉકટરે કે પીએમ રિપોર્ટરમાં હજુ મોતનું ચોકક્સ કારણ બહાર નથી આવ્યું.

ઘરે આરામ કરતી વખતે થઈ ગયો બેહોશ

વિરલ રાઠોડ ઘરે આરામ કરી રહ્યા હતો ત્યારે રાત્રે બેહોશ થઇ ગયા હતા. વિરલને સારવાર અર્થે 108 મારફત નવી સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જેને લઈ પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

 થોડા દિવસ પહેલા સુરતના પુણાગામ માં સરકારી સ્કૂલ પાસે મીરા અંબિકા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય જીગ્નેશ વ્રજલાલભાઈ પટેલ ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો પડયો હતો. બાદમાં તે બેભાન થઈ જતા તરત સારવાર માટે નવી સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવવામાં લિંબાયતમાં મીઠીખાડી પાસે ડુંભાલ ટેનામેન્ટમા રહેતો 40 વર્ષીય રામકૃષ્ણ સૈમયા બિટલાને પણ છાતીમાં દુઃખાવો ઉપાડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્રીજા બનાવમાં પુણાગામમાં હસ્તીનાપુર સોસાયટીમાં રહેતો 27 વર્ષીય દર્શન રસીક વાઘેલા ડીંડોલીમાં સાંઇપોઇન્ટ ખાતે આવેલા સાસરીયામાં ગયો હતો. ત્યાં તેને અચાનક ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારત સામે ઘૂંટણિયે પડશે અમેરિકા, 25 ટકા ટેરિફ ઘટાડશે ટ્રમ્પ, જાણો કોણે કર્યો દાવો
ભારત સામે ઘૂંટણિયે પડશે અમેરિકા, 25 ટકા ટેરિફ ઘટાડશે ટ્રમ્પ, જાણો કોણે કર્યો દાવો
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ, જાણો ક્યાં પડશે વરસાદ 
Kitchen Vastu: રસોડામાં ગેસ સ્ટવ અને સિંક આ દિશામાં રાખો, ક્યારેય નહીં થાય  પૈસાની કમી
Kitchen Vastu: રસોડામાં ગેસ સ્ટવ અને સિંક આ દિશામાં રાખો, ક્યારેય નહીં થાય પૈસાની કમી
Aadhaar Update : તમે દસ્તાવેજ વગર પણ 'હેડ ઓફ ફેમિલી'ની મદદથી આધાર અપડેટ કરી શકો, જાણો સરળ રીત
Aadhaar Update : તમે દસ્તાવેજ વગર પણ 'હેડ ઓફ ફેમિલી'ની મદદથી આધાર અપડેટ કરી શકો, જાણો સરળ રીત 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનું ધામ હવે નગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ડોળાયું ડેરીઓનું રાજકારણ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નર્કની ગલી?
Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Gujarat Farmers : ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીને લઈ મોટા સમાચાર , જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત સામે ઘૂંટણિયે પડશે અમેરિકા, 25 ટકા ટેરિફ ઘટાડશે ટ્રમ્પ, જાણો કોણે કર્યો દાવો
ભારત સામે ઘૂંટણિયે પડશે અમેરિકા, 25 ટકા ટેરિફ ઘટાડશે ટ્રમ્પ, જાણો કોણે કર્યો દાવો
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ, જાણો ક્યાં પડશે વરસાદ 
Kitchen Vastu: રસોડામાં ગેસ સ્ટવ અને સિંક આ દિશામાં રાખો, ક્યારેય નહીં થાય  પૈસાની કમી
Kitchen Vastu: રસોડામાં ગેસ સ્ટવ અને સિંક આ દિશામાં રાખો, ક્યારેય નહીં થાય પૈસાની કમી
Aadhaar Update : તમે દસ્તાવેજ વગર પણ 'હેડ ઓફ ફેમિલી'ની મદદથી આધાર અપડેટ કરી શકો, જાણો સરળ રીત
Aadhaar Update : તમે દસ્તાવેજ વગર પણ 'હેડ ઓફ ફેમિલી'ની મદદથી આધાર અપડેટ કરી શકો, જાણો સરળ રીત 
Tulsi Leaves for Health: તુલસીનું એક પાન 100 બીમારીઓની દવા, જાણો તેના ચમત્કારી ફાયદા 
Tulsi Leaves for Health: તુલસીનું એક પાન 100 બીમારીઓની દવા, જાણો તેના ચમત્કારી ફાયદા 
24, 22 કે 18, કેટલા કેરેટનું સોનું ખરીદવું યોગ્ય? કયા ગોલ્ડમાં કરવામાં આવે છે સૌથી વધુ ભેળસેળ?
24, 22 કે 18, કેટલા કેરેટનું સોનું ખરીદવું યોગ્ય? કયા ગોલ્ડમાં કરવામાં આવે છે સૌથી વધુ ભેળસેળ?
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
Embed widget