શોધખોળ કરો

BHARUCH : નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતાં નદીના પાણી ખેતરોમાં ઘુસી ગયા, ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન

Bharuch News : જે ખેતરમાંથી શાકભાજીનો પાક લઈ જીવન નિર્વાહ કરવામાં આવતું હતું એ જ ખેતરમાં ખેડૂતો માછલી પકડી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે.

Bharuch  : ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતાં નર્મદા નદી કિનારે આવેલા ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવી છે અને નદી બે કાંઠે વહી રહી છે ત્યારે પૂરના પાણી નર્મદા કાંઠે આવેલા ગામના ખેતરમાં ફરી વળ્યા છે.

ત્રણ ગામમાં નદીના પાણી ખેતરોમાં ઘુસ્યા 
નર્મદા નદીના કિનારે આવેલ બોરભાઠા,કાંસિયા અને જૂના કાંસિયા ગામના ખેતરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે જેના પગલે ખેડૂતોના ઊભા પાકને નુકશાન થઈ રહ્યું છે. નર્મદા કાંઠે આવેલ ફળદ્રૂપ જમીનમાં ખેડૂતો શાકભાજીનું વાવેતર કરે છે પરંતુ પુરના પાણીએ શાકભાજીના પાકનો જાણે દાટ વાળી દીધો છે. લગભગ 37 હેક્ટર જેટલી જમીનમાં શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે જેમાં કારેલાં પરવર,ગલકા અને દૂધી સહિતનો ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. શાકભાજીનો પાક નષ્ટ થતાં ખેડૂતોએ આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. 

ખેતરોમાં માછલીઓ ફરી રહી છે 
જે ખેતરમાંથી શાકભાજીનો પાક લઈ જીવન નિર્વાહ કરવામાં આવતું હતું એ જ ખેતરમાં ખેડૂતો માછલી પકડી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. આ અંગે ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ છે, આમ છતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાયતા નથી કરવામાં આવી નથી અને આવી વિકટ પરિસ્થિતિમાં કોઈ મુલાકાત લેવા પણ નથી આવ્યું. 

ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટથી વધુ પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.60 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ 870થી લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે

મધ્ય પ્રદેશમાં અવિરત વરસાદને પગલે ઇન્દિરાસાગર ડેમમાંથી 7.50 લાખ ક્યુસેક પાણીની સરદાર સરોવર નર્મદા ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે જેને પગલે નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગતરોજ 5.45 લાખથી વધુ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું  હતું.

આજરોજ ડેમમાંથી 5.60 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જેને કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.ગતરોજ રાતે નદીની સપાટી વોર્નિંગ લેવલથી બે ફૂટ ઉપર વધી હતી ત્યારે આજે નદીની સપાટીમાં સતત વધારો થયો છે નદીની સપાટી વધીને 26 ફૂટ ઉપરથી વધુ પહોંચી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Embed widget