શોધખોળ કરો

Surendranagar: નર્મદા કેનાલમાંથી મળી આવી આધેડની લાશ,મોતનું કારણ અકબંધ

સુરેન્દ્રનગર: દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આધેડની લાશ મળી આવી છે. આસપાસના લોકોએ કેનાલમાં લાશ તરતી જોતા સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી.

સુરેન્દ્રનગર: દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આધેડની લાશ મળી આવી છે. આસપાસના લોકોએ કેનાલમાં લાશ તરતી જોતા સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પાલિકાની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને બહાર કાઢી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ વઢવાણ ૮૦ ફૂટ રોડ પર રહેતા ધનજીભાઈ ગમારા હોવાનું બહાર આવ્યું છે. 


Surendranagar: નર્મદા કેનાલમાંથી મળી આવી આધેડની લાશ,મોતનું કારણ અકબંધ

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર થોડા દિવસો પહેલા ઘરેથી ચાલ્યા ગયા બાદ આજે કેનાલમાંથી તેમની લાશ મળી આવી છે. અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ચર્ચાઓ છે. જો કે, તેઓ ઘરેથી શા માટે નિકળ્યા હતા તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

અમરેલીમાં આજે ચલાલા-ખાંભા રોડ પર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ધારગણીથી વાવડી પાસે એસટી બસએ છકડો રિક્ષાને ટક્કર મારી હતી. ગાંધીનગર કોડીનાર રૂટની એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડો રિક્ષામાં સવાર 4 માંથી બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. એકને સામાન્ય અને બીજાને ગંભીર ઇજા થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્તને ભાવનગર વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. મૃતદેહ ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લવાયા હતા. પોલીસ દ્વારા આ મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતકના નામ મુકેશભાઈ સવજીભાઈ તથા સિકંદરભાઈ  (ધારગણી) હોવાનું સામે આવ્યું છે.


Surendranagar: નર્મદા કેનાલમાંથી મળી આવી આધેડની લાશ,મોતનું કારણ અકબંધ

દાહોદમાં એસ ટી બસ, ઇક્કો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લીમખેડા હાઇવે પર આ ઘટના બની હતી. એસ ટી બસે એક્ટિવા અને ઇક્કોને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સ્રજાયો હતો. જેમાં એક્ટિવા પર સવાર મહિલાનું મોત થયું હતું, જ્યારે એક્ટિવા ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડ્યા હતા. અમદાવાદથી દાહોદ આવતી એસટીએ બે ગાડીને ટક્કર મારી હતી. રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી. પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમે દોડી આવી કામગીરી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના વટવા રિંગ રોડ ઉપર ગામડી ચાર રસ્તા પાસે વૃદ્ધ નોકરીથી સાયકલ લઇને ઘરે પરત જઇ રહ્યા હતા અને ગામડી ચાર રસ્તા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે સમયે આઇસર ટ્રકના ડ્રાઇવરે વૃદ્ધને ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગામડી ગામમાં  ભાથીજી મંદિર પાસે ઇન્દીરાનગર વિભાગ-૧માં રહેતા અને ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇસર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના  પિતા  ગુરુવારે રાત્રીના સમયે અસલાલી ખાતે ખાનગી કંપનીમાં સિક્યરિટી ગાર્ડ તરીકેની નોકરી પૂરી કરીને સાયકલ લઇને ઘરે આવી રહ્યા હતા ત્યારે સાયકલ લઇને ગામડી ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા  તે સમયે પુરઝડપે આવી રહેલ આઇસર ટ્રકે તેમને ટક્કર મારી હતી હતી. જેથી તેઓ જમીન પર પટકાતા લોહી લુહાણ બેભાન હાલતમાં  તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ ઘટના અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Embed widget