શોધખોળ કરો

15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?

15 વર્ષથી નાના બાળકો માટે જીવલેણ સાબિત થતા આ વાયરસના લક્ષણો, કારણો અને સાવચેતી વિશે સચોટ માહિતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચાંદીપુરા વાયરસથી 15 વર્ષથી નાના બાળકોમાં ચેપ સામે વિભાગ એલર્ટ.
  • મહારાષ્ટ્રમાં 1965માં મળેલ વાયરસ રેતીમાખીથી ફેલાય છે.
  • તાવ, ઉલટી, ખેંચ લક્ષણો જણાયે તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.

Chandipura Virus Symptoms: રાજ્યમાં હાલ 15 વર્ષથી નાના બાળકોમાં ફેલાતા ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એકદમ એલર્ટ મોડ પર છે. આ વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે વિશેષ ટીમો દ્વારા સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, આરોગ્ય વિભાગની અપીલ છે કે આ વાયરસથી ગભરાવાની જરાય જરૂર નથી, પરંતુ યોગ્ય સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ આ વાયરસ શું છે, ક્યાંથી આવ્યો અને તેનાથી બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય.

ચાંદીપુરા વાયરસ નામ કેવી રીતે પડ્યું?

આ વાયરસનો ઈતિહાસ થોડો જૂનો છે. સૌપ્રથમ વર્ષ 1965 માં મહારાષ્ટ્રના 'ચાંદીપુરા' ગામમાં તાવથી પીડાતા બે દર્દીઓના લોહીના નમૂનામાંથી આ વાયરસ મળી આવ્યો હતો. ગામના નામ પરથી જ આ રોગનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું. ત્યારબાદ 2003 માં ગુજરાત અને આંધ્રપ્રદેશમાં તેનો મોટો રોગચાળો ફેલાયો હતો, જેમાં કમનસીબે ઘણા બાળકોના જીવ ગયા હતા. 2014 અને ત્યારપછીના સમયગાળામાં પણ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તેના છૂટાછવાયા કેસો નોંધાતા રહ્યા છે.

આ વાયરસ ફેલાય છે કેવી રીતે?

ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 'સેન્ડફ્લાય' (Sandfly) નામની એક અત્યંત નાની અને ઘાતક માખી કરડવાથી ફેલાય છે. આ માખીઓ ખાસ કરીને ગામડાંઓમાં કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં વધુ જોવા મળે છે. આવી જગ્યાઓ આ ચેપી માખીઓ માટે આશ્રયસ્થાન બની જાય છે અને ત્યાં તેઓ ઝડપથી ફુલેફાલે છે.

આ પણ વાંચોઃ આફ્રિકામાં ફરીથી ઇબોલા વાયરસનો કહેર: જાણો આ જીવલેણ બીમારીના લક્ષણો અને બચાવના ઉપાયો

કયા લક્ષણો દેખાય તો સાવધાન થવું?

આ રોગની શરૂઆત બાળકમાં અચાનક તીવ્ર તાવ આવવાથી થાય છે. તાવની સાથે સતત ઝાડા-ઉલ્ટી થવી અને શરીરમાં ખેંચ આવવી એ તેના મુખ્ય લક્ષણો છે. જો સમયસર સારવાર ન મળે તો પરિસ્થિતિ બગડે છે અને બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે. આ વાયરસ એટલો ઝડપી અને ખતરનાક છે કે લક્ષણો દેખાયાના 24 થી 48 કલાકની અંદર જો તાત્કાલિક મેડિકલ સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ થવાનું જોખમ પણ રહેલું છે.

બાળકોને બચાવવા શું સાવચેતી રાખશો?

ઘરની અંદર કે બહાર દીવાલોમાં રહેલી તિરાડો અને છિદ્રોને તરત જ સિમેન્ટ અથવા માટીથી પૂરી દો.

ઘરમાં સૂર્યપ્રકાશ અને હવા-ઉજાસ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરો.

15 વર્ષ સુધીના બાળકોને રાત્રે સૂતી વખતે હંમેશા જંતુનાશક મચ્છરદાનીમાં જ સુવડાવવાનો આગ્રહ રાખો.

ઘરોમાં અને આસપાસ આરોગ્ય તંત્રની મદદથી દવાનો છંટકાવ (ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ) કરાવો.

જો બાળકમાં તાવ, ઉલ્ટી કે ખેંચ જેવા કોઈ પણ લક્ષણો દેખાય, તો જરાય વિલંબ કર્યા વિના તરત જ નજીકની સરકારી હોસ્પિટલ કે મેડિકલ કોલેજમાં લઈ જાવ.

આ પણ વાંચોઃ WHOએ ઇબોલાના નવા વાયરસને વૈશ્વિક કટોકટી જાહેર કરી! ભારત સરકાર પણ એક્શનમાં, એલર્ટ જાહેર કરાયું

આ ભૂલો ક્યારેય ન કરવી:

બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળ કે માટીમાં રમવા ન દો, કારણ કે આવી જગ્યાઓએ ચેપી માખીઓ વધુ સક્રિય હોય છે.

ઘરની આસપાસ કચરો એકઠો ન થવા દો કે ભેજ ન રહેવા દો.

સૌથી અગત્યનું: લક્ષણો જણાય ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં સહેજ પણ સમય ન બગાડવો, કારણ કે આ બીમારીમાં સમયસરની ડોક્ટરી સારવાર જ જીવ બચાવી શકે છે.

Frequently Asked Questions

ચાંદીપુરા વાયરસ શું છે?

આ એક વાયરસ છે જે 15 વર્ષથી નાના બાળકોને અસર કરે છે. તે તાવ, ઝાડા-ઉલ્ટી અને ખેંચ જેવા ગંભીર લક્ષણો પેદા કરી શકે છે.

ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે?

આ વાયરસ મુખ્યત્વે 'સેન્ડફ્લાય' નામની નાની માખી કરડવાથી ફેલાય છે. આ માખીઓ ખાસ કરીને કાચા ઘરોની તિરાડો અને ભેજવાળી જગ્યાઓમાં જોવા મળે છે.

ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો કયા છે?

બાળકમાં અચાનક તીવ્ર તાવ, સતત ઝાડા-ઉલ્ટી અને શરીરમાં ખેંચ આવવી એ તેના મુખ્ય લક્ષણો છે. સમયસર સારવાર ન મળે તો બાળક બેભાન પણ થઈ શકે છે.

બાળકોને ચાંદીપુરા વાયરસથી બચાવવા શું સાવચેતી રાખવી જોઈએ?

ઘરની તિરાડો પૂરી દો, હવા-ઉજાસ રાખો, બાળકોને મચ્છરદાનીમાં સુવડાવો અને ઘરમાં દવાઓનો છંટકાવ કરાવો. લક્ષણો જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Morbi Demi 2 Dam: મોરબીના ડેમી-2 ડેમમાંથી 499 ક્યૂસેક પાણી છોડાયું, 10 ગામોને કરાયા એલર્ટ
Morbi Demi 2 Dam: મોરબીના ડેમી-2 ડેમમાંથી 499 ક્યૂસેક પાણી છોડાયું, 10 ગામોને કરાયા એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
Monsoon: હવામાન વિભાગની ચેતવણી, આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ
Monsoon: હવામાન વિભાગની ચેતવણી, આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ
Advertisement

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
Embed widget