શોધખોળ કરો

ગુજરાતમાં ધોરણ 9થી 11 ના વર્ગો સોમવારથી શરૂ થઈ જશે ! જાણો રાજ્ય સરકાર ક્યારે લેશે નિર્ણય

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક પણ મળશે.

રાજ્યમાં હવે સોમવારથી ધોરણ 9થી 11ની સ્કૂલો અનલોક થાય તેવી સંભાવના છે. રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવતા ધોરણ 12ની સ્કૂલો અને કોલેજોમાં 15 જુલાઈથી ઓફલાઈન શિક્ષણ શરુ કરાયું છે. એવામાં શક્યતા છે કે આજે મળનાર રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ધોરણ 9થી 11ની સ્કૂલો ચાલુ કરવા પર પરામર્શ કરવામાં આવશે.

સરકારે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા સમયે વાલીની સંમતિપત્ર મેળવવું ફરજિયાત કર્યુ છે. ત્યારે જો સોમવારથી ધોરણ 9થી 11ના વર્ગો શરુ થશે તો. તેમાં પણ વાલીઓની સંમતિ જરુરી બનશે.

તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક પણ મળશે. જો કે મુખ્યમંત્રી બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે હોવાથી મુખ્યમંત્રીના આગમન બાદ બપોરે 12 વાગ્યે કેબિનેટની બેઠક મળશે. જેમાં રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિની સાથે સાથે ધોણ 12 અને ઉચ્ચ અભ્યાસક્રમોની સાથે આગામી સમયમાં ધોરણ નવથી 11ના વર્ગો ચાલુક રવા અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

આ સિવાય કેબિનેટની બેઠકમાં અગાઉ મંત્રીઓને સોંપવામાં આવેલ જિલ્લાઓ અને જિલ્લાઓમાં કરેલા પ્રવાસ અને તેમના મુદ્દા પર ચર્ચા થશે. સાથે જ ઓગસ્ટ મહિનામાં સરકારની પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમ અંગે પણ આખરી ઓપ અપાઈ શકે છે.

મુખ્યમંત્રીએ જૂનાગઢના એક કાર્યક્રમ બાદ નિવેદન આપ્યું હતું કે આગામી દિવસોમાં કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી ઓફલાઈન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાનો પણ સંકેત આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ધોરણ 9માં અંદાજે 6 લાખ અને ધોરણ 11માં 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 50 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.

વડોદરા શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 4, આણંદમાં 2, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ, અમરેલી,  અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર  અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Health Insurance Tips:  કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Health Insurance Tips: કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
Embed widget