શોધખોળ કરો

નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે

ગાંધીનગરના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી અચાનક દિલ્હી જવા રવાના થશે; પીએમ મોદી સાથે મુલાકાત બાદ તુરંત ગુજરાત પરત ફરશે; રાજકીય વર્તુળોમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ.

  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીના ટૂંકા પ્રવાસે જશે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
  • આ મુલાકાત તાજેતરમાં વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ અચાનક ગોઠવાઈ હોવાથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ફરી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
  • સૂત્રોના મતે, આ મુલાકાત દરમિયાન મંત્રીમંડળમાં ફેરફાર અથવા નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી.
  • જાણીતા જ્યોતિષી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ 17 ઓક્ટોબર, 2025થી દિવાળી પહેલાં થશે.
  • અંબાલાલ પટેલના મતે, આ વિસ્તરણ દરમિયાન કેટલાક વર્તમાન મંત્રીઓને હટાવાશે અને નવા ચહેરાઓને સ્થાન મળશે, પરંતુ સરકાર વધુ મજબૂત બનશે.

Bhupendra Patel Delhi Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીના ટૂંકા પ્રવાસે જશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મહાત્મા મંદિરમાં આયોજિત સ્ટાર્ટઅપ કોન્ક્લેવના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ અચાનક દિલ્હી જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ તુરંત ગુજરાત પરત ફરશે.

તાજેતરમાં, ૨૦મી તારીખે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ મુખ્યમંત્રીને અચાનક દિલ્હીનું તેડું આવ્યું હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. મુખ્યમંત્રીની આ અચાનક દિલ્હી મુલાકાતથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે.

અગાઉ પણ મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી હતી, જે ઠંડી પડી ગઈ હતી. પરંતુ મુખ્યમંત્રીની આ મુલાકાતથી એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે ટૂંક સમયમાં રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ફેરફાર અથવા નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાત સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ ૧૭ ઑક્ટોબરથી થશે

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અંગે જાણીતા જ્યોતિષી શ્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ આગામી ૧૭ ઑક્ટોબર, ૨૦૨૫થી દિવાળી પહેલાં થશે.

અંબાલાલ પટેલના મતે, આ વિસ્તરણ દરમિયાન ભાજપનો આંતરિક ડખો સામે આવી શકે છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન મંત્રીમંડળના કેટલાક પ્રધાનોને તેમના પદ પરથી દૂર કરવામાં આવશે અને તેમના સ્થાને નવા ચહેરાઓનો સમાવેશ થશે.

જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારો બાદ પણ ભાજપની સરકાર યથાવત્ રહેશે અને વિસ્તરણ બાદ તે વધુ મજબૂત બનશે. તેમણે સરકારને આંતરિક અને બાહ્ય તત્વોથી સાવચેત રહેવાની સલાહ પણ આપી છે.

અંબાલાલ પટેલની આ આગાહી બાદ રાજકીય વર્તુળોમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે, કારણ કે તેમની ઘણી આગાહીઓ ભૂતકાળમાં સાચી સાબિત થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Embed widget