શોધખોળ કરો

નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે

ગાંધીનગરના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી અચાનક દિલ્હી જવા રવાના થશે; પીએમ મોદી સાથે મુલાકાત બાદ તુરંત ગુજરાત પરત ફરશે; રાજકીય વર્તુળોમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ.

  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીના ટૂંકા પ્રવાસે જશે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
  • આ મુલાકાત તાજેતરમાં વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ અચાનક ગોઠવાઈ હોવાથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ફરી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
  • સૂત્રોના મતે, આ મુલાકાત દરમિયાન મંત્રીમંડળમાં ફેરફાર અથવા નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી.
  • જાણીતા જ્યોતિષી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ 17 ઓક્ટોબર, 2025થી દિવાળી પહેલાં થશે.
  • અંબાલાલ પટેલના મતે, આ વિસ્તરણ દરમિયાન કેટલાક વર્તમાન મંત્રીઓને હટાવાશે અને નવા ચહેરાઓને સ્થાન મળશે, પરંતુ સરકાર વધુ મજબૂત બનશે.

Bhupendra Patel Delhi Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીના ટૂંકા પ્રવાસે જશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મહાત્મા મંદિરમાં આયોજિત સ્ટાર્ટઅપ કોન્ક્લેવના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ અચાનક દિલ્હી જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ તુરંત ગુજરાત પરત ફરશે.

તાજેતરમાં, ૨૦મી તારીખે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ મુખ્યમંત્રીને અચાનક દિલ્હીનું તેડું આવ્યું હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. મુખ્યમંત્રીની આ અચાનક દિલ્હી મુલાકાતથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે.

અગાઉ પણ મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી હતી, જે ઠંડી પડી ગઈ હતી. પરંતુ મુખ્યમંત્રીની આ મુલાકાતથી એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે ટૂંક સમયમાં રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ફેરફાર અથવા નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાત સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ ૧૭ ઑક્ટોબરથી થશે

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અંગે જાણીતા જ્યોતિષી શ્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ આગામી ૧૭ ઑક્ટોબર, ૨૦૨૫થી દિવાળી પહેલાં થશે.

અંબાલાલ પટેલના મતે, આ વિસ્તરણ દરમિયાન ભાજપનો આંતરિક ડખો સામે આવી શકે છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન મંત્રીમંડળના કેટલાક પ્રધાનોને તેમના પદ પરથી દૂર કરવામાં આવશે અને તેમના સ્થાને નવા ચહેરાઓનો સમાવેશ થશે.

જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારો બાદ પણ ભાજપની સરકાર યથાવત્ રહેશે અને વિસ્તરણ બાદ તે વધુ મજબૂત બનશે. તેમણે સરકારને આંતરિક અને બાહ્ય તત્વોથી સાવચેત રહેવાની સલાહ પણ આપી છે.

અંબાલાલ પટેલની આ આગાહી બાદ રાજકીય વર્તુળોમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે, કારણ કે તેમની ઘણી આગાહીઓ ભૂતકાળમાં સાચી સાબિત થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉનાળાના આકરા તાપ વચ્ચે ચોથા માવઠાનું સંકટ! આવતીકાલે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી
ઉનાળાના આકરા તાપ વચ્ચે ચોથા માવઠાનું સંકટ! આવતીકાલે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Embed widget