![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surendranagar : મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી સમીક્ષા બેઠક કેમ સમેટી લેવી પડી?
કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા સહિતના આગેવાનોએ ચાલુ સમીક્ષા બેઠકમાં વિરોધ કરતા બેઠક સમેટી લેવાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોને સમીક્ષા બેઠકમાં બોલાવવામાં ન આવતા મંત્રી સહિત ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
![Surendranagar : મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી સમીક્ષા બેઠક કેમ સમેટી લેવી પડી? Collector of Surendranagar Meeting cancel with Minister Kuvarji Bavaliya after congress MLAs protest Surendranagar : મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી સમીક્ષા બેઠક કેમ સમેટી લેવી પડી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/01/187dcf61ae79f4f50d33cb9b05036ad5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરેન્દ્રનગરઃ આજે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા સહિતના આગેવાનોએ ચાલુ સમીક્ષા બેઠકમાં વિરોધ કરતા બેઠક સમેટી લેવાઈ હતી.
કોંગ્રેસના ધારાસભ્યોને સમીક્ષા બેઠકમાં બોલાવવામાં ન આવતા મંત્રી સહિત ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. ચાલુ બેઠકમાં વિરોધ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો.
અનેક આક્ષેપ કોંગ્રેસના બંને ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા હોબાળો કર્યા બાદ બેઠક અધૂરી મુકવામાં આવી હતી. ભાજપના અનેક કાર્યક્રરો બેઠકમાં હાજર રહયા હતા.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14605 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 173 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7183 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 10180 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,18,548 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 142046 પર પહોંચ્યો છે. જેમાંથી 613 લોકો વેન્ટિલેટર પર અને 141433 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.72 ટકા છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 14, મહેસાણા-3, જામનગર કોર્પોરેશન- 9, જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 5, સુરત 7, દાહોદ 3, વડોદરા 6, બનાસકાંઠા 1, પાટણ 2, ભાવનગર 5, સુરેન્દ્રનગર-7, અમરેલી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન-2, ગાંધીનગર-2, સાબરકાંઠા 9, કચ્છ 5, નવસારી 0, જૂનાગઢ કોર્પોરેશન 3, જૂનાગઢ 5, ભરૂચ 2, આણંદ 0, મહીસાગર 2, વલસાડ 4, અરવલ્લી 2, નર્મદા 0, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, તાપી 0. મોરબી 3, છોટા ઉદેપુર 1, પોરબંદર 1, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 2, રાજકોટ 3, ડાંગ 0 અને બોટાદ 3 મોત સાથે કુલ 173 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 5391, સુરત કોર્પોરેશન-1737, વડોદરા કોર્પોરેશન-654, રાજકોટ કોર્પોરેશ 621, મહેસાણા-516, જામનગર કોર્પોરેશન- 396, જામનગર-352, ભાવનગર કોર્પોરેશન 300, સુરત 274, દાહોદ 268, વડોદરા 267, બનાસકાંઠા 234, પાટણ 233, ભાવનગર 212, સુરેન્દ્રનગર-211, અમરેલી 197, ખેડા 179, ગાંધીનગર કોર્પોરેશન-169, ગાંધીનગર-162, સાબરકાંઠા 161, કચ્છ 157, નવસારી 142, જૂનાગઢ કોર્પોરેશન 138, જૂનાગઢ 134, ભરૂચ 133, આણંદ 132, મહીસાગર 129, વલસાડ 126, અરવલ્લી 119, નર્મદા 118, પંચમહાલ 114, ગીર સોમનાથ 111, તાપી 99, મોરબી 94, છોટા ઉદેપુર 89, પોરબંદર 49, અમદાવાદ 48, દેવભૂમિ દ્વારકા 48, રાજકોટ 42, ડાંગ 35 અને બોટાદ 14 કેસ સાથે કુલ 14605 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,94,767 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 23,92,499 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,20,87,266 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)