શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આજે 1015 લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગતે
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે રાજ્યમાં 1052 નવા કેસ નોંધાયા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે રાજ્યમાં 1052 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ 204 કેસ સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1015 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1015 લોકો હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોતાને ઘરે પરત ફર્યા છે. જેમાં સૌથી વધુ દર્દીઓમાં અમદાવાદ કોર્પોરેશનમાં 454 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે નવા 144 કેસ નોંધાયા છે, જ્યારે સામે 454 લોકોને રજા આપવામાં આવી છે.
સુરત કોર્પોરેશનમાં આજે 204 નવા કેસ નોંધાયા છે, જ્યારે 123 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સુરત જિલ્લામાં નવા 54 કેસ નોંધાયા છે, જ્યારે 61 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં આજે 16 નવા કેસ નોંધાયા છે, જ્યારે 29 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે. જૂનાગઢ કોર્પોરેશનમાં નવા 16 કેસ નોંધાયા, જ્યારે 24 દર્દીઓને રજા અપાઈ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion