શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે 1050 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત
રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 92,601 પર પહોંચી છે. રાજ્યમાં આજે વધુ 1050 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના વાયરસના 1272 કેસ નોંધાયા છે અને વધું 14 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 92,601 પર પહોંચી છે. રાજ્યમાં આજે વધુ 1050 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 15072 એક્ટિવ કેસ જેમાંથી 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14986 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી 74551 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
સુરત કોર્પોરેશનમાં આજે કોરોના વાયરસના નવા 178 કેસ નોંધાયા છે, જ્યારે 145 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્દ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 145 નવા કેસ નોંધાયા છે, જ્યારે 144 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. વડોદરા કોર્પોરેશનમાં આજે નવા 97 કેસ નોંધાયા છે, જ્યારે 100 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જામનગર કોર્પોરેશનમાં 81 નવા કેસ નોંધાયા છે, જ્યારે 90 દર્દીઓએ સારવાર બાદ રજા અપાઈ છે. સુરતમાં નવા 92 કેસ નોંધાયા છે, જ્યારે 68 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. પંચમહાલમાં નવા 30 કેસ નોંધાયા છે, જ્યારે 62 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં આજે કુલ 1050 દર્દી સાજા થયા હતા અને 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,21,751 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion