શોધખોળ કરો
Advertisement
Coronavirus: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 405 નવા કેસ, 30નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 14468
રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 405 કેસ સામે આવ્યા છે અને વધુ 30 દર્દીઓનાં મોત થયા છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 405 કેસ સામે આવ્યા છે અને વધુ 30 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 224 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14468 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 888 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.
આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 310, સુરત 31, વડોદરા 18, સાબરકાંઠા-12, મહીસાગર-7, ગાંધીનગર-4, પંચમહાલ-3, નર્મદા-3, ભાવનગર-2, આણંદ-2, સુરેન્દ્રનગર-2, અમરેલી-2, રાજકોટ-1, મહેસાણા-1, બોટાદ-1, ખેડા-1, પાટણ-1, વલસાડ-1, નવસારી-1, પોરબંદર-1 અને અન્ય રાજ્યનો એક કેસ નોંધાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 30 લોકોનાં મોત થયા છે. જેમાંથી 8 નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 22નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં 25, ગાંધીનગર 3, આણંદ 1 અને સુરતમાં 1 મોત થયું છે.
અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 109 દર્દી વેન્ટિલેટર પર છે અને 6835 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6636 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 186361 ટેસ્ટ થયા જેમાંથી 14468 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
વડોદરા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion