શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 510 નવા કેસ, 31નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 25658
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25658 પર પહોંચી છે.
![Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 510 નવા કેસ, 31નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 25658 Coronavirus 510 New covid 19 cases and 31 death reported in Gujarat in last 24 hours Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 510 નવા કેસ, 31નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 25658](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/19020249/2405.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25658 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1592 પર પહોંચ્યો છે. આજે 389 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17829 દર્દીઓ સ્વસ્થ થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 317, સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગર- 11, ભરુચ-9, જામનગર- 7, આણંદ-6, અરવલ્લી 5, પાટણ-5, ભાવનગર 4, બનાસકાંઠા 3, નવસારી 3, સાબરકાંઠા 2, પંચમહાલ 2, અમરેલી 2, રાજકોટ, ખેડા, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નર્મદા, મોરબીમાં 1-1 કેસ અને અન્ય રાજ્યના 2 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 31 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 22, સુરતમાં 6, પાટણ, ગાંધીનગર અને છોટા ઉદેપુરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1592 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 17829 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 6239 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 6178 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,08, 744 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)