શોધખોળ કરો

AAPના નેતાઓ પર હુમલા પછી કેજરીવાલે રૂપાણીનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો ને શું કરી ટ્વિટ ?

કેજરીવાલે સાથે સાથે ટ્વિટ પણ કરી હતી કે, જો ઈસુદાન અને મહેશભાઈ જેવા લોકો પર ગુજરાતમાં ખુલ્લેઆણ હુમલો થઈ રહ્યો હોય તો ગુજરાતમાં કોઈ સલામત નથી. આ હિંસા તમારી હતાશા છે, તમારી હાર છે.

અમદાવાદઃ જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલાના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથા વાત કરી હતી. કેજરીવાલે વાત કરતાં પહેલાં ટ્વિટ કરી હતી કે, વિજય રૂપાણીજી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

કેજરીવાલે સાથે સાથે ટ્વિટ પણ કરી હતી કે, જો ઈસુદાન અને મહેશભાઈ જેવા લોકો પર ગુજરાતમાં ખુલ્લેઆણ હુમલો થઈ રહ્યો હોય તો ગુજરાતમાં કોઈ સલામત નથી. આ હિંસા તમારી હતાશા છે, તમારી હાર છે. લોકોને સારી સવલતો આપીને તેમનાં દિલ જીતો, વિપક્ષ પર હુમલા કરીને તેમને ડરાવશો નહીં. આ લોકો જરનારા લોકો નથી. 

કેજરીવાલે સોમવારે રાત્રે 8.53 કલાકે આ ટ્વિટ કરી હતી. તેના લગભગ અડધા કલાક પછી એટલે કે 9.17 કલાકે તેમણે રૂપાણીજી સાથે વાત કરી હોવાની ટ્વિટ કરી હતી. 

Trying to talk to Vijay Rupani ji https://t.co/3jQbE1vwjX

— Arvind Kejriwal (@ArvindKejriwal) June 30, 2021

">



ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાર્યકરને ઇજા પણ થઈ છે. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો. 

 

આ હુમલા મુદ્દે આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કર્યો હતો. આ અંગે અરવિંદ કેજરીવાલે ખૂદ ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, મેં તેમણે દોષિતો સામે ફરિયાદ નોંધી પગલા લેવા કહ્યું છે તેમજ આપના નેતાઓ અને કાર્યકરોને રક્ષણ આપવા ભલામણ કરી છે. 

 

 


Spoke to Vijay Rupani ji.



Urged him to file FIR, arrest the culprits, ensure strong action against culprits and ensure protection of AAP leaders and workers. https://t.co/BoZ8QDdthu

 


— Arvind Kejriwal (@ArvindKejriwal) June 30, 2021



">

 

 

જૂનાગઢના વિસાવદર તાલુકાનું લેરિયા ગામ કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ, ગોપાલ ઈટાલિયા, પ્રવિણ રામ, મહેશ સવાણી સહિતના નેતાઓના કાફલા પર હિચકારા હુમલો થયો હતો. આ ઘટના બાદ પોલીસ ફરિયાદની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી પડી હતી.

આ ઘટનામાં હવે પોલીસ બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. આપના આગેવાન અને હુમલામાં ઘવાયેલા હરેશ સાવલિયાએ યુવા ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત 40થી 50 લોકોના ટોળા સામે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.

તો સામાપક્ષે પણ પાંચથી સાત લોકો વિસાવદર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા અને તેને આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવિણ રામ સહિતના ટોળા સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે. આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું કે આપના કાર્યકરો અને નેતાઓએ કોઈ પણ લોકો પર હુમલો કર્યો નથી. આપના આગેવાનો તો હુમલાનો ભોગ બન્યા છે. જોકે તેમ છતા સામી ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે તો એનો પ્રતિકાર આપવા અમે તૈયાર છીએ.

નોંધનીય છે કે ફરિયાદની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રાત્રીના વિસાવદર પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. ફરિયાદ નોંધવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના આગેવાનો રાત્રીના પોલીસ સ્ટેશનમાં જ જમીન પર સૂઈ ગયા હતાં. આપના નેતાઓએ જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો દિલ્લીના મુખ્યમંત્રી પણ વિસાવદર પોલીસ મથકે આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે પોલીસ હરકતમાં આવી હતી અને સવારના સમયે ફરિયાદ લેવા તૈયાર થઈ હતી.

નોંધનીય છે કે, જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિસાવદરના લેરીયા આપ પાર્ટીની સભા યોજાય તે અગાઉ આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ આપ પાર્ટી નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા. હુમલાખોરોએ પાંચથી સાત ગાડીઓના કાચ તોડ્યા હતા. બે લોકોને પથ્થરમારામાં ઇજા પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આપના નેતાઓ પર હુમલો થયો હતો.  હુમલાને પગલે આપ પાર્ટી દ્ધારા લેરિયાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.  ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો કર્યો હતો. આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને  પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ અમૃત પર્વ દરમિયાન કરશે મહાપૂજા, પહેલીવાર યોજાશે કુંભ અભિષેક
PM મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ અમૃત પર્વ દરમિયાન કરશે મહાપૂજા, પહેલીવાર યોજાશે કુંભ અભિષેક
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
નર્મદામાં ભાજપની હાર બાદ ભડકો: મનસુખ વસાવાએ નેતાઓને ‘કઠપૂતળી’ અને ‘રાક્ષસી વૃત્તિવાળા’ ગણાવ્યા
નર્મદામાં ભાજપની હાર બાદ ભડકો: મનસુખ વસાવાએ નેતાઓને ‘કઠપૂતળી’ અને ‘રાક્ષસી વૃત્તિવાળા’ ગણાવ્યા
Gujarat Weather Forecast: 15 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી, આ જિલ્લામાં હિટવેવની આગાહી
Gujarat Weather Forecast: 15 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી, આ જિલ્લામાં હિટવેવની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | તાપનું ટોર્ચર | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણીના વિવાદ | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | વર્દીના વિવાદ | ABP Asmita LIVE
Ambalal Patel Weather Forecast : ગુજરાતમાં ગરમીનો ત્રાસ વધશે: અંબાલાલ પટેલની ચેતવણી
PM Modi in West Bengal: PM મોદીએ શપથ મંચથી અનોખા અંદાજમાં બંગાળની જનતાનો આભાર વ્યક્ત કર્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
TamilNadu CM oath ceremony: તમિલનાડુમાં હવે વિજયરાજ, થલપતિ વિજયે CM પદના લીધા શપથ
TamilNadu CM oath ceremony: તમિલનાડુમાં હવે વિજયરાજ, થલપતિ વિજયે CM પદના લીધા શપથ
આવતીકાલનું હવામાન: 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન-વરસાદનું એલર્ટ, 60ની ઝડપે પવન ફૂંકાશે!
આવતીકાલનું હવામાન: 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન-વરસાદનું એલર્ટ, 60ની ઝડપે પવન ફૂંકાશે!
વિજય આવતીકાલે લેશે શપથ: તમિલનાડુમાં 'થલપતિ' રાજનો પ્રારંભ, જાણો મંત્રીમંડળમાં કોણ?
વિજય આવતીકાલે લેશે શપથ: તમિલનાડુમાં 'થલપતિ' રાજનો પ્રારંભ, જાણો મંત્રીમંડળમાં કોણ?
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
શુભમન ગિલનો તરખાટ: 84 રનની તોફાની ઈનિંગથી ગુજરાતની 7મી જીત, રાજસ્થાન ટોપ-4માંથી આઉટ
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
તમિલનાડુમાં વિજય સરકાર! રાજ્યપાલે કેરળ પ્રવાસ રદ કરી વિજયને મળવા બોલાવ્યા, જાણો વિગત
તમિલનાડુમાં વિજય સરકાર! રાજ્યપાલે કેરળ પ્રવાસ રદ કરી વિજયને મળવા બોલાવ્યા, જાણો વિગત
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
આવતીકાલથી માથું ફાડી નાખે તેવી ગરમી પડશે! તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર
PM મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ અમૃત પર્વ દરમિયાન કરશે મહાપૂજા, પહેલીવાર યોજાશે કુંભ અભિષેક
PM મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ અમૃત પર્વ દરમિયાન કરશે મહાપૂજા, પહેલીવાર યોજાશે કુંભ અભિષેક
Embed widget