શોધખોળ કરો

AAPના નેતાઓ પર હુમલા પછી કેજરીવાલે રૂપાણીનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો ને શું કરી ટ્વિટ ?

કેજરીવાલે સાથે સાથે ટ્વિટ પણ કરી હતી કે, જો ઈસુદાન અને મહેશભાઈ જેવા લોકો પર ગુજરાતમાં ખુલ્લેઆણ હુમલો થઈ રહ્યો હોય તો ગુજરાતમાં કોઈ સલામત નથી. આ હિંસા તમારી હતાશા છે, તમારી હાર છે.

અમદાવાદઃ જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલાના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથા વાત કરી હતી. કેજરીવાલે વાત કરતાં પહેલાં ટ્વિટ કરી હતી કે, વિજય રૂપાણીજી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

કેજરીવાલે સાથે સાથે ટ્વિટ પણ કરી હતી કે, જો ઈસુદાન અને મહેશભાઈ જેવા લોકો પર ગુજરાતમાં ખુલ્લેઆણ હુમલો થઈ રહ્યો હોય તો ગુજરાતમાં કોઈ સલામત નથી. આ હિંસા તમારી હતાશા છે, તમારી હાર છે. લોકોને સારી સવલતો આપીને તેમનાં દિલ જીતો, વિપક્ષ પર હુમલા કરીને તેમને ડરાવશો નહીં. આ લોકો જરનારા લોકો નથી. 

કેજરીવાલે સોમવારે રાત્રે 8.53 કલાકે આ ટ્વિટ કરી હતી. તેના લગભગ અડધા કલાક પછી એટલે કે 9.17 કલાકે તેમણે રૂપાણીજી સાથે વાત કરી હોવાની ટ્વિટ કરી હતી. 

Trying to talk to Vijay Rupani ji https://t.co/3jQbE1vwjX

— Arvind Kejriwal (@ArvindKejriwal) June 30, 2021

">



ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાર્યકરને ઇજા પણ થઈ છે. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો. 

 

આ હુમલા મુદ્દે આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કર્યો હતો. આ અંગે અરવિંદ કેજરીવાલે ખૂદ ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, મેં તેમણે દોષિતો સામે ફરિયાદ નોંધી પગલા લેવા કહ્યું છે તેમજ આપના નેતાઓ અને કાર્યકરોને રક્ષણ આપવા ભલામણ કરી છે. 

 

 


Spoke to Vijay Rupani ji.



Urged him to file FIR, arrest the culprits, ensure strong action against culprits and ensure protection of AAP leaders and workers. https://t.co/BoZ8QDdthu

 


— Arvind Kejriwal (@ArvindKejriwal) June 30, 2021



">

 

 

જૂનાગઢના વિસાવદર તાલુકાનું લેરિયા ગામ કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ, ગોપાલ ઈટાલિયા, પ્રવિણ રામ, મહેશ સવાણી સહિતના નેતાઓના કાફલા પર હિચકારા હુમલો થયો હતો. આ ઘટના બાદ પોલીસ ફરિયાદની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી પડી હતી.

આ ઘટનામાં હવે પોલીસ બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. આપના આગેવાન અને હુમલામાં ઘવાયેલા હરેશ સાવલિયાએ યુવા ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત 40થી 50 લોકોના ટોળા સામે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.

તો સામાપક્ષે પણ પાંચથી સાત લોકો વિસાવદર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા અને તેને આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવિણ રામ સહિતના ટોળા સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે. આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું કે આપના કાર્યકરો અને નેતાઓએ કોઈ પણ લોકો પર હુમલો કર્યો નથી. આપના આગેવાનો તો હુમલાનો ભોગ બન્યા છે. જોકે તેમ છતા સામી ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે તો એનો પ્રતિકાર આપવા અમે તૈયાર છીએ.

નોંધનીય છે કે ફરિયાદની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રાત્રીના વિસાવદર પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. ફરિયાદ નોંધવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના આગેવાનો રાત્રીના પોલીસ સ્ટેશનમાં જ જમીન પર સૂઈ ગયા હતાં. આપના નેતાઓએ જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો દિલ્લીના મુખ્યમંત્રી પણ વિસાવદર પોલીસ મથકે આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે પોલીસ હરકતમાં આવી હતી અને સવારના સમયે ફરિયાદ લેવા તૈયાર થઈ હતી.

નોંધનીય છે કે, જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિસાવદરના લેરીયા આપ પાર્ટીની સભા યોજાય તે અગાઉ આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ આપ પાર્ટી નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા. હુમલાખોરોએ પાંચથી સાત ગાડીઓના કાચ તોડ્યા હતા. બે લોકોને પથ્થરમારામાં ઇજા પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આપના નેતાઓ પર હુમલો થયો હતો.  હુમલાને પગલે આપ પાર્ટી દ્ધારા લેરિયાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.  ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો કર્યો હતો. આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને  પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ
Botad Rain: બોટાદ જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ, ભારે પવન સાથે ખાબક્યો વરસાદ 
Botad Rain: બોટાદ જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ, ભારે પવન સાથે ખાબક્યો વરસાદ 
Weather Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ

વિડિઓઝ

Morbi Marriage Mandap Collapse : મોરબીમાં મીની વાવાઝોડું ત્રાટકતા લગ્નનો મંડપ ધરાશાયી
Rajkot Water Logging : રાજકોટમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : નકલી ગુરૂનું નકલી સામ્રાજ્ય
Hun To Bolish : હું તો બોલીશ : ભર ઉનાળે તોફાની વરસાદ
Stock Market: ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દિલ્લી યુપી સહિતઆ 5 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ
Weather Forecast: દિલ્લી યુપી સહિતઆ 5 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ
ઈરાની હુમલામાં યુએસ F-35 ફાઇટર જેટને થયું નુકસાન, ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પડી ફરજ: રિપોર્ટ
ઈરાની હુમલામાં યુએસ F-35 ફાઇટર જેટને થયું નુકસાન, ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પડી ફરજ: રિપોર્ટ
આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
આગામી 3 દિવસ 21 રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ  
Kerala Congress Candidates List: કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી, 37 ઉમેદવારોની કરી જાહેરાત 
Kerala Congress Candidates List: કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી, 37 ઉમેદવારોની કરી જાહેરાત 
Gold Price: કેમ સોનામાં અચાનક મોટો ઘટાડો થઈ રહ્યો છે? સામે આવ્યું મોટું કારણ, જાણો 
Gold Price: કેમ સોનામાં અચાનક મોટો ઘટાડો થઈ રહ્યો છે? સામે આવ્યું મોટું કારણ, જાણો 
IPL 2026: સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર! રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો 
IPL 2026: સ્ટાર ખેલાડી આખી સીઝનમાંથી બહાર! રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો 
કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  
કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  
Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ
Embed widget