શોધખોળ કરો

Panchmahal News: જ્ઞાતિવાદે મોત બાદ પણ મહિલાનો ના છોડ્યો પીછો, અગ્નિસંસ્કાર માટે ન મળ્યું સ્મશાન

Panchmahal News: જોકે જ્ઞાતિવાદના કારણે ગ્રામજનોએ અંતિમ સંસ્કાર કરવા દીધા નહોતા.

Panchmahal News: રાજ્યમાં ફરી એકવાર જ્ઞાતિવાદના કારણે માનવતાને શર્મસાર કરતી ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, પંચમહાલના ઘોઘંબા તાલુકાના કંકોડાકોઈ ગામના લોકોએ પ્રસૂતિ બાદ મોતને ભેટેલી મહિલાના અંતિમ સંસ્કાર સ્મશાનમાં  કરવા દીધ નહોતા. અમરેલી જિલ્લાના ઘાસા ગામે પરિવાર સાથે મજૂરી કામ અર્થે સ્થાયી થયેલા સુમિત્રાબેન નાયક નામની મહિલાએ 14 ડિસેમ્બરના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતાની તબિયત લથડતા મોતને ભેટી હતી.  જેથી પરિવારે વતનમાં અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.  જોકે વતન લાવતા જ્ઞાતિવાદના કારણે ગ્રામજનોએ અંતિમ સંસ્કાર કરવા દીધા નહોતા.  જેના કારણે પરિવારજનોએ ખેતરમાં જ મહિલાના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. આ ઘટનાથી ગ્રામજનો પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે.

કંકોડાકોઈ ગામ બે સ્મશાન આવેલા છે છતાંય મહિલાના અંતિમ સંસ્કાર કરવાની ગામના લોકોએ મંજૂરી આપી નહોતી. સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી નહી મળતા મહિલાના પરિવારના લોકોએ ગ્રામપંચાયતની ખુલ્લી જગ્યામાં અગ્નિદાહ આપવા માટે ચિતા તૈયાર કરી હતી પરંતુ ગામના લોકોએ ચિતા પણ ત્યાંથી હટાવી દીધી હતી. જેથી પરિવારજનોને મહિલાના અગ્નિસંસ્કાર તેમના ખેતરના એક ખૂણામાં કરવાની ફરજ પડી હતી. જાતિવાદને કારણે ગામના સ્મશાનમાં મહિલાના અંતિમ સંસ્કાર કરવા દીધા નહોતા.   

નવસારીના ગણદેવી તાલુકામાંથી માતૃત્વને લજવતી ઘટના સામે આવી છે. જેમાં નિષ્ઠુર જનેતાએ જુના સિનેમા રોડ પાસેના બાપા સીતારામ મઢુલીની પાછળ પોતાની નવજાત દીકરીને મરવા માટે તરછોડી દીધી હતી. ભૂખ્યા સંભવિત શ્વાનના ટોળાએ બાળકીને ફાડી ખાતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. કેટલાક સ્થાનિકોએ બાળકીના મૃતદેહને જોતા તાત્કાલિક ગણદેવી પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા તાત્કાલિક બાળકીના મૃતદેહને ગણદેવી રેફરલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યું હતું. બાળકીના શરીરના અવશેષોને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ગણદેવી પોલીસે બાળકીને તરછોડનાર વાલી વારસની શોધખોળ શરૂ કરી છે અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજનની મદદથી કેસ ઉકેલવા તજવીજ શરૂ કરી છે.      

સુરત સચિનમાં માતાએ તેમના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્રણેયની હાલત ગંભીર હોવાથી તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget