![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Morbi Bridge Collapse: નીતિન પટેલનો ધડાકો, "મોરબી દુર્ઘટના માટે ભાજપ સરકાર નૈતિક રીતે જવાબદાર...
મોરબી બ્રિજની દુર્ઘટના માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં મોટી વાત કરી છે.
![Morbi Bridge Collapse: નીતિન પટેલનો ધડાકો, EX Deputy CM Of Gujarat Nitin Patel On Morbi Accident Government Is Responsible For The Accident Morbi Bridge Collapse: નીતિન પટેલનો ધડાકો,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/abb81b9ba7d8de928a271237c338a7391667219631439330_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Morbi Bridge Collapse: મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં મોટી વાત કરી છે. નીતિન પટેલે સ્વીકાર્યું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે.
નીતિન પટેલે વાતચીતમાં કહ્યું કે, આ જવાબદારી અમારી છે, કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે, દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા, આ કોઈ છૂપી વાત નથી, તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી.
તપાસ બાદ જવાબદારી નક્કી થશે?
રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે, સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે. ટૂંક સમયમાં તેનો રિપોર્ટ બધાની સામે આવશે, પછી ખબર પડશે કે આ માટે કોણ જવાબદાર છે. તેમણે કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ આમાં કોની ભૂલ છે તે શોધી કાઢશે અને પછી કાર્યવાહી કરવામાં આવશે.
9 લોકોની અટકાયત કરવામાં આવી
ગુજરાત પોલીસે આ દુર્ઘટનામાં બદઈરાદાપૂર્વક હત્યાનો કેસ નોંધ્યો છે અને લગભગ 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં બ્રિજ પર તૈનાત ખાનગી સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. સાથે જ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના એસપી સાંજે 6 કલાકે આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.
8-10 વર્ષ સુધી પુલ ટકવાનો દાવોઃ
લગભગ 150 વર્ષ જુના આ પુલનું રિનોવેશન કરનાર ખાનગી કંપનીએ આ દુર્ઘટના ઘટી તે પહેલાં દાવો કર્યો હતો કે, તેમણે લેટેસ્ટ ટેક્નોલોજી સાથે પુલનું રિનોવેશન કર્યું છે. આ રિનોવેશન કર્યા બાદ આ પુલ ઓછામાં ઓછો 8 થી 10 વર્ષ સુધી ટકશે અને કોઈ ખતરો નહી ઉભો થાય.
2 કરોડના ખર્ચે થયું હતું રિનોવેશનઃ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)