શોધખોળ કરો

ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી જૂથ અથડામણમાં વધુ પાંચ આરોપીની કરાઇ ધરપકડ

પથ્થરમારામાં સંડોવાયેલા બે મૌલવીઓએ એક શિક્ષક સાથે બેઠક કરી હોવાનો પણ ગઈકાલે પર્દાફાશ થયો હતો

રામનવમીના દિવસે ખંભાતમાં થયેલા પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસે તપાસ ઝડપી કરી છે. તોફાનમાં સામેલ વધુ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 16 આરોપીઓને જેલને હવાલે કરાયા છે. આ કેસમાં કુલ 57 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 16ની અટકાયત કરાઈ છે. જ્યારે 41 આરોપીઓને પોલીસ શોધી રહી છે.

પથ્થરમારામાં સંડોવાયેલા બે મૌલવીઓએ એક શિક્ષક સાથે બેઠક કરી હોવાનો પણ ગઈકાલે પર્દાફાશ થયો હતો. માધવલાલ શાહ હાઇસ્કૂલના શિક્ષક શૈલેષ રાઠોડ સાથે પ્રિંસિપાલની ચેંબરમાં બેઠક યોજાઇ હતી. જેને લઈ પોલીસ શિક્ષકની પૂછપરછ શરૂ કરી છે.  જેથી પોલીસે શિક્ષકને પણ હજુ સુધી ક્લીન ચિટ આપી નથી અને શિક્ષક શૈલેષ રાઠોડને પૂછપરછ માટે ખંભાત પોલીસ સ્ટેશને લઈ જવાયા છે. જો કે PI એમ.જે. ચૌધરીએ માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષકની પૂછપરછ કરી ક્લીન ચિટ આપી છોડી દીધા હતા. જેના કારણે પી આઈ એમ જે ચૌધરીની તાત્કાલિક અસરથી ગઈકાલ સાંજે જ બદલી કરાઈ છે. શકરપુર દરગાહ પાસે પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસે આ ગુનામાં 57 લોકો સામે એફ આઈ આર નોંધી છે. જેમાં 16 આરોપીની ધરપકડ થઈ છે. જ્યારે 41 આરોપીની ધરપકડ બાકી છે. આ સમગ્ર કેસને લઈ આવતીકાલે આણંદ એસપી વધુ ખુલાસા  કરી શકે છે.

રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા હુમલા બાદ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ દરમિયાન ગેરકાયદેસર રીતે બનેલી દુકાનો પર અતિક્રમણ હટાવવામાં આવ્યું છે.  ગેરકાયદેસર સંપત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.  હિંસાના આરોપીઓની પ્રૉપર્ટી પણ ગેરકાયદેસર હોવાની માહિતી પ્રશાસનને મળી છે. જો આ ગેરકાયદેસર છે તો તેને પણ તોડવામાં આવશે.

ખંભાતના શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યા બાદ ધરપકડનો દોર શરૂ કર્યો છે. હાલ મૌલવી સહિત પકડાયેલા શખસોના રિમાન્ડ લેવામાં આવ્યા છે. બીજી તરફ, જે સ્થળે પથ્થરમારો થયો હતો, છેલ્લાં ઘણાં વર્ષોથી અવારનવાર અને વાર-તહેવારે વિસ્તારમાં કોમી તંગદિલી સર્જાય છે, જેને લઇ હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એના કાયમી નિરાકરણ માટે કવાયત હાથ ધરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
પાટણના હાજીપુરમાં બબાલ: વરઘોડો કાઢ્યો તો જાનથી મારી નાખીશું! વરરાજાને ઘોડી પરથી પછાડી ઢોર માર માર્યો
પાટણના હાજીપુરમાં બબાલ: વરઘોડો કાઢ્યો તો જાનથી મારી નાખીશું! વરરાજાને ઘોડી પરથી પછાડી ઢોર માર માર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
Embed widget