શોધખોળ કરો

કોંગ્રેસમાંથી સળંગ 4 વાર ધારાસભ્ય બનેલા ડો. જોશીયારા પહેલી વાર ભાજપની ટિકિટ પર જીતેલા, જાણો ભાજપ કેમ છોડ્યો હતો ?

ગાંધીનગરઃ કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય સ્વ. અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ સોમવારે નિધન થયું હતું.

ગાંધીનગરઃ કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય સ્વ. અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ સોમવારે નિધન થયું હતું. ડો. જોશીયારાના નિધન સાથે કોંગ્રેસે ભાજપની લહેરો સામે અડીખમ રહીને લાંબા સમયથી ચૂંટાતા ધારાસભ્યને ગુમાવ્યા છે. ડો. 2002થી 2017 સુધી સતત ટાર ટર્મ માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.  

ડો. જોશીયારા 1995માં પ્રથમ વખત ભાજપની ટિકિટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે ભાજપ છોડી જનારા ડો. જોશીયારા 1998માં વાઘેલાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી (આરજેપી)ની ટિકિટ પર ભિલોડામાંથી હારી ગયા હતા. આરજેપીના કોંગ્રેસમાં વિલિનીકરણ પછી ડો. જોશીયારાએ પાછું વળીને જોયું નહીં ને ફરી કદી ના હાર્યા.

ડો. જોશીયારાની આજે મંગળવારે ભિલોડા ખાતે અંતિમક્રિયા કરવામાં આવશે. અનિલ જોશીયારાનો જન્મ 24 એપ્રિલ 1952 ના રોજ થયો હતો.  ડો. જોશીયારાએ MBBS ભણ્યા પછી MSની ડીગ્રી મેળવી હતી. 1995થી 1996 દરમ્યાન આદિજાતિ વિકાસ મંત્રીની જવાબદારી સંભાળનારા ડો. જોશીયારા 1997થી 98 દરમ્યાન રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી હતા.  

સાબર યુવા વિકાસના સભ્ય રહેલા ડો. જોશીયારા 10 વર્ષ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહ્યા હતા. તેમણે 1984થી 94 સુધી સુપરિટેન્ડ અને સિવિલ સર્જન તરીકે સેવા આપી હતી. કુટુંબ નિયોજનમાં 10 વર્ષ સુધી સેવા આપી હતી અને
લાયન્સ કલબ સાથે જોડાઈ વર્ષો સુધી ગરીબોની સેવા કરી હતી. ડુંગરી ગરાસિયા સેવા સમાજના હોદ્દેદાર પણ રહ્યા હતા.

ચેન્નાઇથી ડો. જોશીયારાના મૃતદેહને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવીને ભિલોડા લઈ જવામાં આવ્યો હતો. ભિલોડા ખાતે ડો. અનિલ જોશીયારાની અંતિમ વિધિ પહેલાં મંગળવારે સવારે તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે મૃતદેહને રાખવામાં આવ્યો હતો. બપોરે  12 વાગ્યા આસપાસ અંતિમક્રિયા કરવામાં આવશે.

કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અંતિમ દર્શને જવા રવાના થયા છે. ગઈકાલે કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોશિયારાનું નિધન થયું હતું. કોરોનાના કારણે ચેન્નાઇ ખાતે સારવાર લઈ રહેલા ડો. જોશીયારાનું 69 વર્ષની વયે નિધન થયું હતું.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો,
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
Embed widget