શોધખોળ કરો

કોંગ્રેસમાંથી સળંગ 4 વાર ધારાસભ્ય બનેલા ડો. જોશીયારા પહેલી વાર ભાજપની ટિકિટ પર જીતેલા, જાણો ભાજપ કેમ છોડ્યો હતો ?

ગાંધીનગરઃ કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય સ્વ. અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ સોમવારે નિધન થયું હતું.

ગાંધીનગરઃ કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય સ્વ. અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ સોમવારે નિધન થયું હતું. ડો. જોશીયારાના નિધન સાથે કોંગ્રેસે ભાજપની લહેરો સામે અડીખમ રહીને લાંબા સમયથી ચૂંટાતા ધારાસભ્યને ગુમાવ્યા છે. ડો. 2002થી 2017 સુધી સતત ટાર ટર્મ માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.  

ડો. જોશીયારા 1995માં પ્રથમ વખત ભાજપની ટિકિટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે ભાજપ છોડી જનારા ડો. જોશીયારા 1998માં વાઘેલાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી (આરજેપી)ની ટિકિટ પર ભિલોડામાંથી હારી ગયા હતા. આરજેપીના કોંગ્રેસમાં વિલિનીકરણ પછી ડો. જોશીયારાએ પાછું વળીને જોયું નહીં ને ફરી કદી ના હાર્યા.

ડો. જોશીયારાની આજે મંગળવારે ભિલોડા ખાતે અંતિમક્રિયા કરવામાં આવશે. અનિલ જોશીયારાનો જન્મ 24 એપ્રિલ 1952 ના રોજ થયો હતો.  ડો. જોશીયારાએ MBBS ભણ્યા પછી MSની ડીગ્રી મેળવી હતી. 1995થી 1996 દરમ્યાન આદિજાતિ વિકાસ મંત્રીની જવાબદારી સંભાળનારા ડો. જોશીયારા 1997થી 98 દરમ્યાન રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી હતા.  

સાબર યુવા વિકાસના સભ્ય રહેલા ડો. જોશીયારા 10 વર્ષ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહ્યા હતા. તેમણે 1984થી 94 સુધી સુપરિટેન્ડ અને સિવિલ સર્જન તરીકે સેવા આપી હતી. કુટુંબ નિયોજનમાં 10 વર્ષ સુધી સેવા આપી હતી અને
લાયન્સ કલબ સાથે જોડાઈ વર્ષો સુધી ગરીબોની સેવા કરી હતી. ડુંગરી ગરાસિયા સેવા સમાજના હોદ્દેદાર પણ રહ્યા હતા.

ચેન્નાઇથી ડો. જોશીયારાના મૃતદેહને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવીને ભિલોડા લઈ જવામાં આવ્યો હતો. ભિલોડા ખાતે ડો. અનિલ જોશીયારાની અંતિમ વિધિ પહેલાં મંગળવારે સવારે તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે મૃતદેહને રાખવામાં આવ્યો હતો. બપોરે  12 વાગ્યા આસપાસ અંતિમક્રિયા કરવામાં આવશે.

કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અંતિમ દર્શને જવા રવાના થયા છે. ગઈકાલે કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોશિયારાનું નિધન થયું હતું. કોરોનાના કારણે ચેન્નાઇ ખાતે સારવાર લઈ રહેલા ડો. જોશીયારાનું 69 વર્ષની વયે નિધન થયું હતું.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું  પસાર
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું પસાર
Advertisement

વિડિઓઝ

Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Rule Change:  SBI એ આ સર્વિસને કરી દિધી બંધ, દેશભરમાં આજથી લાગુ થયા આ મોટા બદલાવ
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું  પસાર
Parliament Winter Session Live: SIR પર લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર GST બિલ થયું પસાર
SIR ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં ? ઘરે બેઠા આ રીતે કરો ચેક, એકદમ સિમ્પલ છે પ્રોસેસ 
SIR ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં ? ઘરે બેઠા આ રીતે કરો ચેક, એકદમ સિમ્પલ છે પ્રોસેસ 
BCCI એ અચાનક બોલાવી મોટી બેઠક! ગૌતમ ગંભીર-અગરકર સાથે ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
BCCI એ અચાનક બોલાવી મોટી બેઠક! ગૌતમ ગંભીર-અગરકર સાથે ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Parliament Session: ખડગેએ સંસદમાં કેમ કહ્યું કે, આ તરફ ન જોશો, આ તરફ છે  ખતરો
Parliament Session: ખડગેએ સંસદમાં કેમ કહ્યું કે, આ તરફ ન જોશો, આ તરફ છે ખતરો
Embed widget