શોધખોળ કરો

Gir Somnath: સમાજસેવા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કૃત હીરાબાઈ લોબીને રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા

જીવંતપર્યત મહિલાઓના ઉત્કર્ષ માટે દિશાદર્શન આપવાની નેમ વ્યક્ત કરતાં હીરાબાઈ લોબી

Gir Somnath: સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળા તાલુકાના જાંબુરના હીરાબાઈ લોબીને ગુજરાતનું નામ ઉજાગર કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા છે. આ તકે વેરાવળ પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયાએ હીરાબાઈના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરતાં પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતાં અને ગુજરાત સરકાર દ્વારા એનાયત કરવામાં આવેલ પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કર્યુ હતું. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિનંદન સંદેશ આપ્યો કે, આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર પ્રદાન બદલ આપને આઝાદીના અમૃતકાળમાં “પદ્મશ્રી” પુરસ્કારથી નવાજવામાં આવ્યા તે જાણીને અત્યંત આનંદ સહ ગર્વની લાગણી અનુભવું છું. ગુજરાતના વિવિધ ક્ષેત્રને ઉજાગર કરનારા જૂજ વીરલાઓમાં આપનું અદ્વિતીય પ્રદાન રહ્યું છે. સમાજના ઉત્થાન માટે જીવન ખર્ચી નાખતાં આપના અનન્ય યોગદાન અંગે જાણી ખૂબ આનંદ થયો.

આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રીએ હીરાબાઈના કુટુંબીજનો સાથે હળવી પળો માણી હતી અને અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળતું રહે તેવી તેમની કાર્યશૈલીને બીરદાવી ગીર સોમનાથ જિલ્લા માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.

આ તકે હીરાબાઈએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મારી મહેનતની કદર કરી છે અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરી છે. વિકાસની દિશામાં ડબલ એન્જિન સરકાર સર્વાંગી ક્ષેત્રે સારું કામ કરી રહી છે એવો ભાવ વ્યક્ત કરી જીવંતપર્યત મહિલાઓના ઉત્કર્ષ માટે દિશાદર્શન આપવાની નેમ વ્યક્ત કરી હતી. નોંધનીય છેકે, સીદી સમુદાયના બાળકો અને મહિલાઓના વિકાસમાં હીરબાઈનો સિંહફાળો રહ્યો છે. જેથી સમાજસેવા ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ તેમને પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું છે.

આ તકે તાલાલા મામલતદાર શ્રી એન.સી.વ્યાસ, નાયબ મામલતદાર શ્રી જે.વી.સિંધવ, શ્રી વિક્રમભાઈ દેસાઈ, સર્કલ ઓફિસર શ્રી પથિકભાઈ પ્રજાપતિ, રેવન્યૂ તલાટી શ્રી રિટાબહેન કાંબલિયા, માધુપુર-જાંબુર સરપંચશ્રી વિમલભાઈ વાળોદરિયા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ પણ વાંચો... 

ગીર સોમનાથમાં ગામ લોકોએ ક્રુરતાની હદ વટાવી, કૂતરાઓને ટીપી ટીપીને મારી નાખ્યા - 

ગીર સોમનાથ: સુત્રાપાડાના આજેઠા ગામના ચોંકાવનારા વિડિયો સામે આવ્યા છે. ગામમાં શ્વાનને શોધી શોધીને મારી નાખવામાં આવ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સમૂહ લગ્ન માટે સ્વચ્છ ગામની સાથે સાતે શ્વાન મુક્ત ગામ કરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું. ગામના યુવાનોએ શ્વાનને શોધી શોધીને મારી નાખ્યા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જીવ દયા પ્રેમીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
Advertisement

વિડિઓઝ

Chhota Udaipur News: 'પહાડી વિસ્તારોના નાગરિકોની મુશ્કેલી થશે દુર': પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કર્યુ નિરીક્ષણ
Mehsana news: મહેસાણાના કડીમાં કમિશનની લાલચમાં એક વ્યક્તિએ ગુમાવ્યા લાખો રૂપિયા.
Sabarmati River: અમદાવાદમાં દિન પ્રતિદિન પ્રદુષિત થઈ રહેલી સાબરમતી નદીને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
'ઓપરેશન સિંદૂરમાં 5 પાકિસ્તાની ફાઇટર જેટનો થયો હતો નાશ', IAF ચીફે ખોલી દીધી શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની પોલ
'ઓપરેશન સિંદૂરમાં 5 પાકિસ્તાની ફાઇટર જેટનો થયો હતો નાશ', IAF ચીફે ખોલી દીધી શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની પોલ
Embed widget