શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પતંગરસિયાઓ માટે રાહતના સમાચાર, ઉત્તરાયણના દિવસે નહીં પડે વરસાદ, જાણો કેટલી ઝડપે ફૂંકાશે પવન
હવમાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલે વરસાદની કોઈ આગાહી નથી. ઉત્તરાયણને દિવસે પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
![પતંગરસિયાઓ માટે રાહતના સમાચાર, ઉત્તરાયણના દિવસે નહીં પડે વરસાદ, જાણો કેટલી ઝડપે ફૂંકાશે પવન Good news for kite lovers no rain forecast on Makarsankranti પતંગરસિયાઓ માટે રાહતના સમાચાર, ઉત્તરાયણના દિવસે નહીં પડે વરસાદ, જાણો કેટલી ઝડપે ફૂંકાશે પવન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/13112138/kite.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો હતા. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે પતંગરસિયાઓ અને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે.
હવમાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલે વરસાદની કોઈ આગાહી નથી. ઉત્તરાયણને દિવસે પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જેના કારણે પતંગરસિયાઓને પતંગબાજી કરવામાં મોજ પડશે.
ઉત્તરાયણના દિવસે 10 કિ.મી.થી વધુ ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ મનાય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 15થી 20કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ રહેશે. તારીખ 14 અને 15 એમ બંને દિવસે પવનની ગતિ મધ્યમ રહેવાની હોવાથી પતંગરસિયાને ઠુમકા મારીને હાથ નહીં દુખાડવા પડે.
IND v AUS: આવતીકાલે પ્રથમ વન ડે, કોહલી પાસે સચિનના વધુ એક રેકોર્ડની બરોબરી કરવાની તક
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)