શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસનાં ભૂકંપ, દિગ્ગજ ક્ષત્રિય નેતાએ આપી દીધું રાજીનામું, ક્યા પક્ષમાં જોડાવાનો આપ્યો સંકેત ?

મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મને કોંગ્રેસમાં ક્ષમતા પ્રમાણે કદી કામગીરી નથી મળી.

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. જયરાજસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને લખેલા બે પાનાના પત્રમાં લખ્યું છે કે, સ્વમાનના ભોગે હું રહી ના શકું.

જયરાજસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મને કોંગ્રેસમાં ક્ષમતા પ્રમાણે કદી કામગીરી નથી મળી. મને વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ પણ નથી અપાઈ. મારું સ્વમાન ઘવાતું હોવાથી હું રાજીનામું આપું છું. તેમણે કહ્યું કે, મારે સ્વમાન ના જળવાય ત્યાં રહેવું જ નથી.

જયરાજસિંહે ભાજપમાં જોડાવાનો સંકેત આપતાં કહ્યું કે, મેં કોંગ્રેસ છોડી છે પણ રાજનીતિ છોડી નથી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી. આ નિવેદન દ્વારા જયરાજસિંહે ભાજપમાં જોડાવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.

નોંધનીય છે કે, પક્ષમાં તેમની અવગણના કરવામાં આવતી હતી જેથી તેઓ ઘણા સમયથી નારાજ હતા. જે મામલે તેમણે અગાઉ ટ્વીટ પણ કર્યું હતું. મહેસાણાથી અમુક કોંગ્રેસ નેતાઓ પણ ભાજપમાં જોડાવાના છે. જેમા તે નેતાઓ જયરાજસિંહના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મુદ્દે એવી માહિતી સામે આવી છે કે કેન્દ્રીય મંત્રી દેવું સિંહે જયરાજસિંહ પરમારના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદથી તેઓ તેવો ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. 

આ સિવાય એવી માહિતી પણ સામે આવી છે કે જયરાજસમિંહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા હતા. જેમા ગત સપ્તાહે તેઓ સામાજિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીને મળ્યા હોવાનું સામે આવ્યું છે.જેથી ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. 

આ પહેલા આ મુદ્દે જયરાજસિંહ પરમાર દ્વારા ટ્વીટ કરીને એવું કહેવામાં આવ્યું કે, શરૂઆત બહુચરાજીથી. તેમની આ ટ્વીટ બાદ તેઓ પોતે પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. બીજી તરફ હોદ્દેદારો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે પક્ષમાં તેમની અવગણના થાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget