શોધખોળ કરો

IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત

ravindra jadeja rr captain: જયપુર નહીં પણ પુણે બની શકે છે નવું હોમ ગ્રાઉન્ડ: 'થલાપતિ' વાળી પોસ્ટથી અટકળો તેજ, જાણો વિગત.

ravindra jadeja rr captain: ક્રિકેટ રસિયાઓમાં અત્યારથી જ IPL 2026 નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં રાજસ્થાન રોયલ્સ (RR) ટીમ હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. ટીમમાં નેતૃત્વ પરિવર્તનને લઈને અનેક અટકળો ચાલી રહી છે. સંજુ સેમસન સાથેના ટ્રેડ ડીલ (Trade Deal) બાદ ટીમમાં જોડાયેલા સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને હવે ટીમના નવા કેપ્ટન (Captain) બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. 

જોકે યશસ્વી જયસ્વાલ (yashasvi jaiswal) અને રિયાન પરાગના (riyan parag) નામો પણ ચર્ચામાં હતા, પરંતુ ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. રાજસ્થાન રોયલ્સે જાડેજાનો ફોટો શેર કરીને તેને 'થલાપતિ' એટલે કે કમાન્ડર (Commander) ગણાવ્યા છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી સિઝનમાં રવિન્દ્ર જાડેજા ટીમના સુકાની તરીકે જોવા મળી શકે છે. નોંધનીય છે કે જાડેજાએ આ ટીમમાં જોડાવા માટે મોટો આર્થિક ત્યાગ પણ કર્યો છે; ચેન્નાઈ સુપર કિંગ્સમાં તેમને ₹18 કરોડ મળતા હતા, જ્યારે રાજસ્થાન રોયલ્સમાં તેઓ ₹14 કરોડ માં જોડાયા છે, એટલે કે તેમણે સીધું ₹4 કરોડ નું નુકસાન વેઠીને પણ ટીમમાં મહત્વની ભૂમિકા સ્વીકારી છે.

બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના (Rajasthan Royals) ચાહકો માટે મેદાનને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ, આગામી સિઝનમાં ટીમનું હોમ ગ્રાઉન્ડ (Home Ground) જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ નહીં પણ પુણે હોઈ શકે છે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) અને ફ્રેન્ચાઇઝી વચ્ચેનો આંતરિક વિવાદ માનવામાં આવે છે. વિવાદ ત્યારે વકર્યો જ્યારે RCA ના એક અધિકારીએ ટીમ પર મેચ ફિક્સિંગ (Match Fixing) જેવા ગંભીર અને પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા, જેને ટીમે સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. હાલમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે અને પુણેને નવું હોમ ગ્રાઉન્ડ જાહેર કરવામાં આવે તેવી વકી છે. આ ઉપરાંત, ગુવાહાટીનું બારાસપારા સ્ટેડિયમ પણ ટીમનું બીજું હોમ ગ્રાઉન્ડ બની શકે છે, જે અંગેની સત્તાવાર જાહેરાત (Announcement) ટૂંક સમયમાં કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget