Coronavirus Cases LIVE: નીતિન પટેલે આપી કોરોનાને મ્હાત, જાણો કેટલા દિવસ લીધી સારવાર
Gujarat Coronavirus Cases Updates: ગુજરાતમાં અત્યાર સુધી ૫,૧૮,૨૩૪ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. ગુજરાતમાં ૧,૩૯,૦૪૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૦ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૫,૮૮૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
LIVE

Background
નીતિન પટેલ થયા કોરોના મુક્ત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈ પોતાના નિવસ્થાને પહોંચ્યા હતા. ગત 24 એપ્રિલના રોજ નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા હતા. 24 એપ્રિલના રોજ નીતિન પટેલને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 16 દિવસની સારવાર લીધા બાદ નીતિન પટેલ પોતાના નિવસ્થાને પહોંચ્યા હતા.
આઈપીએલમાં રમતાં ગુજરાતી ચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન
ચેતનના પિતા કોવિડ પોઝિટિવ (Covid Positive) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું નિધન થયું હતું. રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આ વાતની પુષ્ટિ કરી હતી. IPLમાં ચેતને સાત વિકેટ લીધી હતી.
અમદાવાદના ભૂતપૂર્વ ડે. કમિશનર ઝેડ.એ. સાચાનું કોરાનાથી નિધન
AMC ના ભૂતપૂર્વ ડે કમિશનર ઝેડ.એ.સાચાનું svpમાં કોરોના સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ એક સપ્તાહથી સારવાર હેઠળ હતા. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
હાર્દિક પટેલના પિતાના નિધન પર અમિત ચાવડાએ શોક વ્યક્ત કર્યો
વિસનગરના ઘાઘરેટ ગામમાં કોરોના થી બે સગા ભાઈના મોત
વિસનગરના ઘાઘરેટ ગામમાં કોરોના થી બે સગા ભાઈના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો છે. રાકેશ પટેલ અને મુકેશ પટેલ નામના બે સગા ભાઈઓને કોરોના ભરખી ગયો છે. જે પૈકી એક ભાઈ વિસનગરની બાકરપુર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં હતા. ગામમાં અત્યાર સુધીમાં 10 લોકોના કોરોનાથી મોત થયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
