શોધખોળ કરો
Gujarat Corona Cases update: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આજે 671 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 671 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4344 પર પહોંચ્યો છે.

ફાઈલ તસવીર
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 671 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4344 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 7829 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,39,771 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 7768 લોકો સ્ટેબલ છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, મોરબીમાં 1, વડોદરા કોર્પોરેશન-1 મોત સાથે કુલ 4 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 123, સુરત કોર્પોરેશનમાં 103, વડોદરા કોર્પોરેશનમાં 90, રાજકોટ કોર્પોરેશનમાં 64, વડોદરા 27, સુરત-26, કચ્છ 20, રાજકોટ-18, દાહોદ 14, મહેસાણા 13, જામનગર કોર્પોરેશન-12, સાબરકાંઠા 12, બનાસકાંઠા 11 અને આણંદમાં 10 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 806 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.17 ટકા છે. રાજ્યમાં કોરોના માટે ઉપલબ્ધ પથારીઓ પૈકી 90 ટકા પથારીઓ ખાલી છે.
વધુ વાંચો





















