શોધખોળ કરો
Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં 267 નવા કેસ નોંધાયા, 425 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. કોરોના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 267 નવા કેસ નોંધાયા હતા.

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. કોરોના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 267 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી 1નું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.32 ટકા પર પહોંચ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 425 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,55,914 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2641 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર અને 2615 લોકો સ્ટેબલ છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4393 પર પહોંચ્યો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 72, અમદાવાદ કોર્પોરેશનમાં 44, સુરત કોર્પોરેશનમાં 31, રાજકોટ કોર્પોરેશનમાં 24, વડોદરામાં 10, નર્મદા-9, રાજકોટ-7, જામનગર કોર્પોરેશન-5, કચ્છ 5 અને સુરતમાં 5 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં અત્યાર સુધી 490,192 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement