શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાનો તરખાટ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 575 કેસ
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.24 ટકા પર પહોંચ્યો છે. હાલ 3140 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 લોકો વેન્ટિલેટર પર અને 3094 લોકો સ્ટેબલ છે.
![Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાનો તરખાટ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 575 કેસ Gujarat corona cases update 575 new cases reported in last 24 hour Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાનો તરખાટ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 575 કેસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/07140814/gujarat-corona-update9.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 575 નવા કેસ નોંધાયા હતા જ્યારે 459 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4415 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 265831 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.24 ટકા પર પહોંચ્યો છે. હાલ 3140 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 લોકો વેન્ટિલેટર પર અને 3094 લોકો સ્ટેબલ છે.
આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 127, સુરત કોર્પોરેશન 125, વડોદરા કોર્પોરેશનમાં 70, રાજકોટ કોર્પોરેશન 58, સુરત-20, ભાવનગર કોર્પોરેશન 15, આણંદ 14, રાજકોટ 13, વડોદરા-12, મહેસાણા 11, કચ્છ-10, ખેડા 9, દાહોદ, જામનગર કોર્પોરેશન અને સાબરકાંઠામાં 8-8 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 14,09,244 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,41,437 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 45,974 લોકોને રસી આપવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ભાવનગર
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)