શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases update: રાજ્યમાં ચાર મહિના બાદ એક દિવસમાં 600થી ઓછા કેસ નોંધાયા, 4 લોકોનાં મોત
રાજ્યમાં હાલ 7226 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,42,164 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
![Gujarat Corona Cases update: રાજ્યમાં ચાર મહિના બાદ એક દિવસમાં 600થી ઓછા કેસ નોંધાયા, 4 લોકોનાં મોત Gujarat Corona Cases update: 583 new cases reported in last 24 hours Gujarat Corona Cases update: રાજ્યમાં ચાર મહિના બાદ એક દિવસમાં 600થી ઓછા કેસ નોંધાયા, 4 લોકોનાં મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/14013604/corona-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ચાર મહિનામાં બાદ એક દિવસમાં 600થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 583 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4354 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 7226 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,42,164 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 56 દર્દી વેન્ટીલેટર પર છે અને 7170 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, પંચમહાલ 1 અને સુરત કોર્પોરેશનમાં 1ના મોત સાથે કુલ 4 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 111, સુરત કોર્પોરેશનમાં 85, વડોદરા કોર્પોરેશનમાં 81, રાજકોટ કોર્પોરેશનમાં 66, વડોદરા 26, રાજકોટ 18, આણંદ 16, સુરત-13, જામનગર કોર્પોરેશન-12, કચ્છ-12, મહેસાણા-12, અમરેલી-10, ભાવનગર કોર્પોરેશન અને ખેડામાં 9-9 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 792 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.44 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,77,229 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)