શોધખોળ કરો

કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને લઈ રૂપાણી સરકારે શું કરી મોટી જાહેરાત ? જાણો

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના સંક્રમણમાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે નવી યોજનાની જાહેરાત કરી છે. સરકારે મુખ્યમંત્રી બાળસેવા યોજના જાહેર કરી છે. જેની શરુઆત  આવતીકાલથી શરૂ થઈ જશે.

ગાંધીનગર:  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના સંક્રમણમાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે નવી યોજનાની જાહેરાત કરી છે. સરકારે મુખ્યમંત્રી બાળસેવા યોજના જાહેર કરી છે. જેની શરુઆત  આવતીકાલથી શરૂ થઈ જશે. આ યોજનામાં જે બાળક અનાથ બન્યું છે અને તેમના માતા-પિતા બંનેનું કોરોનાથી મૃત્યુ થયું છે તેવા બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ લેનારા બાળકો 18 વર્ષના થાય ત્યા સુધી દર મહિને તેમને 4 હજાર રૂપિયા સહાય આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ માતાપિતાના બાળકો માટે મુખ્યમંત્રી બાલ સેવા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દર મહિને બાળક દીઠ રૂપિયા 4000 માસિક સહાયતા અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમના માટે આફ્ટર કેર યોજના શરુ કરવામાં આવી છે જેમાં 6000 રૂપિયા બાળકને અપાશે. આવા બાળકોને વિદેશ અભ્યાસ માટે મદદ કરવામાં આવશે.

રાજ્ય સરકારની આ જાહેરાત અનુસાર કોરોનાના કારણે માતાપિતા ગુમાવનાર અને નિરાધાર થયેલા બાળકોની ચિંતા કરી કેન્દ્ર સરકારે સંવેદના દાખવી છે. ત્યારે રાજ્ય સરકાર પણ આવા બાળકો માટે વિશેષ યોજના આવતી કાલથી જ શરુ કરી દેવામાં આવશે.

જે બાળકના માતાપિતા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોના ભરણપોષણ, આરોગ્ય, રોજગારીનું ધ્યાન રાજ્ય સરકાર રાખશે. આવા બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી બાળક દીઠ 4000 માસિક સહાયતા અપાશે. 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમના માટે આફ્ટર કેર યોજના શરુ કરવામાં આવી છે જેમાં 24 વર્ષ સુધી બાળકોને 6000 રૂપિયાની સહાય અપાશે.

જે બાળકોને વિદેશમાં અભ્યાસ કરવા જવાનું થાય તો આવકની મર્યાદામાંથી મુક્તિ અપાશે અને રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ માટેની લોનની યોજનામાં આ બાળકોને અગ્રતાક્રમ અપાશે. લોનની રકમની મર્યાદામાંથી પણ આ બાળકોને મુક્તિ અપાશે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરનાર આવા બાળકોની 50 ટકા ફી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ રાજ્ય સરકાર આપશે.

કેંદ્ર સરકારે પણ મદદની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે પીએમ કેયર્સ ફંડ દ્વારા કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા બાળકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. દેશમાં કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવા બાળકોને PM કેર ફંડમાંથી 10 લાખની મદદ કરાશે. તેમનો ભણવાનો ખર્ચ પણ આ ફંડમાંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Updates: આકાશમાંથી વરસશે અગનગોળા, IMDએ આ રાજ્યો માટે જાહેર કર્યું હીટવેવ એલર્ટ, જાણો ક્યાં થશે વરસાદ
Weather Updates: આકાશમાંથી વરસશે અગનગોળા, IMDએ આ રાજ્યો માટે જાહેર કર્યું હીટવેવ એલર્ટ, જાણો ક્યાં થશે વરસાદ
Weekly Tarot Predictions 22 to 28 April: તુલાથી મીન સુધીના જાતકનું આગામી સપ્તાહ કેવું જશે, જાણીએ રાશિફળ
Weekly Tarot Predictions 22 to 28 April: તુલાથી મીન સુધીના જાતકનું આગામી સપ્તાહ કેવું જશે, જાણીએ રાશિફળ
Hanuman Jayanti 2024: હનુમાન જયંતી પર બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિને થશે લાભ
Hanuman Jayanti 2024: હનુમાન જયંતી પર બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિને થશે લાભ
Gandhinagar: ACBએ પૂર્વ IAS એસ કે લાંગા અને તેમના પુત્ર સામે 11.64 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો
ACBએ પૂર્વ IAS એસ કે લાંગા અને તેમના પુત્ર સામે 11.64 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ramji Thakor | ‘પાઘડીની લાજ રાખજો..’ કહીં રામજી ઠાકોરે પાઘડી મુકી કોના ખોળે?Kshatriya Samaj| હવે પાર્ટ-2 ‘ઓપરેશન ભાજપ’, ક્ષત્રિય સમાજે રણનીતિમાં શું કર્યો ફેરફાર?Mehsana | કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે કોના ખોળામાં પાઘડી મુકી કરી મત માટે આજીજી... જુઓ વીડિયોJennyben thummar| કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે નોંધાઈ આચારસંહિતા ભંગની ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: આકાશમાંથી વરસશે અગનગોળા, IMDએ આ રાજ્યો માટે જાહેર કર્યું હીટવેવ એલર્ટ, જાણો ક્યાં થશે વરસાદ
Weather Updates: આકાશમાંથી વરસશે અગનગોળા, IMDએ આ રાજ્યો માટે જાહેર કર્યું હીટવેવ એલર્ટ, જાણો ક્યાં થશે વરસાદ
Weekly Tarot Predictions 22 to 28 April: તુલાથી મીન સુધીના જાતકનું આગામી સપ્તાહ કેવું જશે, જાણીએ રાશિફળ
Weekly Tarot Predictions 22 to 28 April: તુલાથી મીન સુધીના જાતકનું આગામી સપ્તાહ કેવું જશે, જાણીએ રાશિફળ
Hanuman Jayanti 2024: હનુમાન જયંતી પર બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિને થશે લાભ
Hanuman Jayanti 2024: હનુમાન જયંતી પર બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિને થશે લાભ
Gandhinagar: ACBએ પૂર્વ IAS એસ કે લાંગા અને તેમના પુત્ર સામે 11.64 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો
ACBએ પૂર્વ IAS એસ કે લાંગા અને તેમના પુત્ર સામે 11.64 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો
Everest Masala: એવરેસ્ટ મસાલામાં મળ્યા આ ખતરનાક કેમિકલ, આ દેશે લગાવ્યો પ્રતિબંધ
Everest Masala: એવરેસ્ટ મસાલામાં મળ્યા આ ખતરનાક કેમિકલ, આ દેશે લગાવ્યો પ્રતિબંધ
Donald Trump: ટ્રમ્પના હશ મની કેસના ચાલતી હતી સુનાવણી, કોર્ટ બહાર વ્યક્તિએ ખુદને લગાવી આગી
Donald Trump: ટ્રમ્પના હશ મની કેસના ચાલતી હતી સુનાવણી, કોર્ટ બહાર વ્યક્તિએ ખુદને લગાવી આગી
Horoscope  20 April 2024:  આ 4 રાશિના જાતક માટે શનિવાર નિવડશે શુભ, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Horoscope 20 April 2024: આ 4 રાશિના જાતક માટે શનિવાર નિવડશે શુભ, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Sarkari Naukri: આ સંસ્થામાં નીકળી છે 600થી વધુ પદ પર ભરતી, ફટાફટ કરો અરજી
Sarkari Naukri: આ સંસ્થામાં નીકળી છે 600થી વધુ પદ પર ભરતી, ફટાફટ કરો અરજી
Embed widget