Local Body Election Live Update: લીંબડી તાલુકામાં આપમાં ભંગાણ, AAPના પ્રમુખ ભાજપમાં જોડાયા
Local Body Election Live Update: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને હાલ પ્રચારનો કાર્ય તેજ બન્યું છે. જાણીએ ચૂંટણી સંદર્ભના પળે-પળના અપડેટ્સ
LIVE

Background
Local Body Election Live Update: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પક્ષે વિજય માટે કવાયત શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં , '15 મહાનગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી યોજાશે.' રાજ્યમાં 26મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે.ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, જેથી રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યના એકમો મતદારોને પ્રભાવિત કરે, તેવી જાહેરાતો નહીં કરી શકે.છઠ્ઠી એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું હતું. .11મી એપ્રિલે ઉમેદવારો ચૂંટણી ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ને બે દિવસ પછી તેની એટલે કે 13મી એપ્રિલના તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. . 15મી એપ્રિલ સુધીમાં ઉમેદવારે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારબાદ ઉમદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું.
આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. મતદાન 26 એપ્રિલ, 2026ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જ્યારે 28 એપ્રિલે મતદાનનું પરિણામ જાહેર થશે
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લાના ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ અટેકથી મૃત્યુ થતાં આ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક માટે ભાજપ દ્વારા ગોવિંદ પરમાના જ પુત્ર હર્ષદ પરમાને ટિકિટ અપાઇ છે. મહત્ત્વનું છે કે, આણંદ જિલ્લાની આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, નવસારી, વાપી, કરમસદ-આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે ગાંધીનગર તથા જૂનાગઢમાં મહાનગરપાલિકાની ટર્મ ચાલી રહી હોવાથી ત્યાં ચૂંટણી નહીં યોજાય.
જામનગર વોર્ડ-2માં ભાજપ ઉમેદવાર અને યુવક વચ્ચે બબાલ
જામનગર વોર્ડ-2માં ભાજપ ઉમેદવાર અને યુવક વચ્ચે બબાલ થઇ હતી. પ્રચાર દરમિયાન યુવકે ભાજપ ઉમેદવારને સવાલ કરતા બબાલ થઇ હતી. યુવક અને ભાજપ ઉમેદવાર જયરાજસિંહ વચ્ચે બોલાચાલી થઇ હતી.
રસ્તાના કામ બાબતે સવાલ કરતા ઉ્ગ્ર બોલાચાલી થઇ હતી.
અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાં લગાવ્યું એડીચોટીનો જોર
અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાંએડીચોટીનો જોર લગાવ્યું છે. ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યાં છે. કોંગ્રેસના ઉમેદવારો મોંઘવારીના મુદ્દાને લઈ કરી પ્રચાર કરી રહ્યાં છે.
ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે





















