શોધખોળ કરો

Gujarat Night Curfew Imposed: ગુજરાતમાં કોરોનાને નાથવા રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું નિયંત્રણ લદાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે રાજ્યના મહાનગરોમાં વકરી રહેલા કોરોનાને લઈને ગુજરાતની રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે

ગાંધીનગરઃ રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ એટલે કે આજે રાત્રે કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે અને આવતીકાલ એટલે કે 17 માર્ચથી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે રાજ્યના મહાનગરોમાં વકરી રહેલા કોરોનાને લઈને ગુજરાતની રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે અને જે તે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા ભરવાની સત્તા મનપા કમિશ્નરોને આપવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂની મુદત ગઈ કાલે પૂરી થઈ ગઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી હાઇપાવર કમિટીની મીટિંગમાં નાઇટ કર્ફ્યૂ અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોઈ કારણસર કમનસીબે ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેરોનાં કમિશ્નરોને સૂચના આપી છે, પોતાના શહેરનાં નિર્ણયો કમિશ્નરો લઇ શકે છે. આજે ગ્રૂપની બેઠકમાં કર્ફ્યૂ અંગે કયો સમય રાખવો, કેટલો સમય રાખવો, કયા વિસ્તારોમાં રાખવો, બીજા શું પગલા લેવા તે અંગેનો નિર્ણય સાંજ સુધીમાં લેવામાં આવશે.

ગુજરાત કોરોના રસીકરણમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. સોમવારે વધુ 1 લાખ 7 હજાર લોકોને કોરોના વેક્સિન અપાતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25 લાખ 85 હજારથી વધુ વ્યકિતને રસી મૂકવામાં આવી છે.  25 લાખ 85 હજાર પૈકી 20 લાખ 69 હજાર 918 લોકોને પ્રથમ ડોઝ તો 5 લાખ 15 હજાર 842 વ્યકિતને બે ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં ગઈકાલે સિનીયર સિટીઝન તેમજ 45થી વધુ વયે ગંભીર બિમારી ધરાવતા કુલ 89,138 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ સિવાય ગઈકાલે 18,185ને કોરોના રસી આપવામાં આવી હતી. ગુજરાતમાં હાલ 10 લાખની વસતીએ સરેરાશ 36 હજાર 800 વ્યક્તિ કોરોના રસી લઇ ચૂક્યા છે. દેશના જે રાજ્યોમાં સૌથી વધુ વ્યક્તિઓએ કોરોના રસી લીધી હોય તેમાં રાજસ્થાન 29 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 28.30 લાખ સાથે બીજા, ગુજરાત ત્રીજા, પશ્ચિમ બંગાળ 24.40 લાખ સાથે ચોથા, ઉત્તર પ્રદેશ 23.20 લાખ સાથે પાંચમાં જ્યારે કેરળ 15.50 લાખ સાથે છઠ્ઠા સ્થાને છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના 890  નવા કેસ નોંધાયા હતા જ્યારે 594  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં 1 મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4425 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,69,955 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.72 ટકા પર પહોંચ્યો છે. હાલ 4717  એક્ટિવ કેસ છે, જેમાંથી 56 લોકો વેન્ટિલેટર પર અને 4661  લોકો સ્ટેબલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shaktisinh Gohil | ભ્રષ્ટ અધિકારીઓને લઈને શક્તિસિંહ વરસ્યા ભાજપ પર.. જુઓ વીડિયોમાંGujarat Rain Forecast| રાજ્યમાં આગામી ચાર દિવસ આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહીAmbaji Rain | અંબાજીમાં ધોધમાર વરસાદને લઈને દુકાનોમાં ઘુસ્યા પાણી... જુઓ વીડિયોમાંTapi Rain | ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
T20 World Cup 2024: સેમિફાઇનલમાં વરસાદ પડશે તો બહાર થઇ જશે ભારતીય ટીમ? શું છે રિઝર્વ-ડેનો નિયમ?
ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
ધરપકડથી લઇને કસ્ટડી સુધીના બદલાશે નિયમ, જાણો એક જૂલાઇથી શું શું બદલાઇ જશે?
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
Euro 2024: યુરો કપમાં ઓસ્ટ્રિયાનું શાનદાર પ્રદર્શન, નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું
Yes Bank: યસ બેન્કે 500 કર્મચારીઓની કરી છટણી, ખર્ચ ઘટાડવા માટે લીધો નિર્ણય
Yes Bank: યસ બેન્કે 500 કર્મચારીઓની કરી છટણી, ખર્ચ ઘટાડવા માટે લીધો નિર્ણય
Artificial Food Colors: ખાવાની કઇ વસ્તુઓ વપરાય છે આર્ટિફિશિયલ કલર? બાળકો માટે છે ખતરનાક
Artificial Food Colors: ખાવાની કઇ વસ્તુઓ વપરાય છે આર્ટિફિશિયલ કલર? બાળકો માટે છે ખતરનાક
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Embed widget