શોધખોળ કરો

રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલનના 10 કેસ પરત ખેંચતા હાર્દિક પટેલે આપ્યું  મોટું  નિવેદન, જાણો

પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ સરકારે એક નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે.

અમદાવાદ:  પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેચાયા છે. ​​​​​​​નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1 જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે જે પરત ખેંચવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કેસોને પરત લેવા મેટ્રો કૉર્ટમાં 15 એપ્રિલે પરત ખેચવા હાથ ધરાશે. 

રાજ્ય સરકારના આ નિર્ણય પર હાર્દિક પટેલે કહ્યું કે આ જાહેરાત તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી હતી.  આનંદીબેનની સરકારમાં જાહેરાત થઈ હતી તે કેસ પરત ખેંચાયા છે. સરકાર સમાજને  ગુમરાહ કરે છે, બધા કેસ પાછા ખેંચવા હાર્દિક પટેલે માંગ કરી છે.

હાર્દિક સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલ કેસ અંગે 15 એપ્રિલના રોજ હુક્મ થશે. ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે.

રાજદ્રોહ સિવાયના તમામ કેસો પરત ખેંચાશે 
ગુજરાત સરકારે કુલ 70 જેટલા પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આમાં રાજદ્રોહ સિવાયના તમામ કેસો પાછા ખેંચાશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સેશન કોર્ટમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલુ છે જેના સિવાય તમામ કેસો પરત ખેંચાશે. 

સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ : અલ્પેશ કથીરિયા 
આ અંગે નિવેદન આપતા પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય તેમજ આપ નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ગુજરાત સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ, પણ તમામ કેસો પરત ખેંચાશે ત્યારે પૂર્ણ સંતોષ થશે.  

ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈએ નિર્ણયને આવકાર્યો  
આ અંગે ઉમિયાધામ, સીદસરના પ્રમુખ જેરામભાઈ પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા અંગે અનેક પાટીદાર આગેવાનોએ રજૂઆત કરી હતી. આ કેસો પરત ખેંચવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અંગત રસ લીધો છે, માટે આ બાબતનો શ્રેય ભુપેન્દ્રભાઈ અને તેમની ટીમને જાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
Embed widget