શોધખોળ કરો

વધુ એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના આ વિસ્તારમાં આગામી 5 દિવસ પડશે વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

‘ક્યાર’ વાવાઝોડાની અસરના કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે.

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડું ફંટાઈને ઓમાન તરફ ગયું છે પણ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. ‘ક્યાર’ વાવાઝોડાની અસરના કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવમાન વિભાગની આગાહી અનુસાર, હાલ ક્યાર સાયક્લોન 200થી 210ની ઝડપે આગળ વધી રહ્યું છે. જે બાદમાં 230 કિમી પ્રતિકલાકની ઝડપે જઈ શકે છે. ત્યારે અરબી સમુદ્રમાં બીજુ પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. લો-પ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગયુ છે. જે 24 કલાક બાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. એક નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જ્યારે ક્યાર વાવાઝોડાના કારણે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ આવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ આવે તેવી શક્યતા છે. ક્યાર વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવવાના કારણે વેરાવળ, પોરબંદર, અમરેલીના બંદરો પર બે નંબરનું સિગ્નલ અપાયું છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે સાયક્લોનનું બે નંબરનું સિગ્નલ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટ સહિત જેતપુર, જામનગર, જૂનાગઢ તથા મોરબી જિલ્લામાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી, આજે યલો એલર્ટ
અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી, આજે યલો એલર્ટ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
Ambalal Patel: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું  અનુમાન, કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી
Ambalal Patel: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું  અનુમાન, કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
Embed widget