શોધખોળ કરો

વધુ એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના આ વિસ્તારમાં આગામી 5 દિવસ પડશે વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

‘ક્યાર’ વાવાઝોડાની અસરના કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે.

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડું ફંટાઈને ઓમાન તરફ ગયું છે પણ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. ‘ક્યાર’ વાવાઝોડાની અસરના કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવમાન વિભાગની આગાહી અનુસાર, હાલ ક્યાર સાયક્લોન 200થી 210ની ઝડપે આગળ વધી રહ્યું છે. જે બાદમાં 230 કિમી પ્રતિકલાકની ઝડપે જઈ શકે છે. ત્યારે અરબી સમુદ્રમાં બીજુ પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. લો-પ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગયુ છે. જે 24 કલાક બાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. એક નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જ્યારે ક્યાર વાવાઝોડાના કારણે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ આવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ આવે તેવી શક્યતા છે. ક્યાર વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવવાના કારણે વેરાવળ, પોરબંદર, અમરેલીના બંદરો પર બે નંબરનું સિગ્નલ અપાયું છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે સાયક્લોનનું બે નંબરનું સિગ્નલ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટ સહિત જેતપુર, જામનગર, જૂનાગઢ તથા મોરબી જિલ્લામાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં અમદાવાદ-ગાંધીનગર સહિત 8 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ-ગાંધીનગર સહિત 8 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Riddhi Rajpara: આરતી સાંગાણી બાદ વધુ એક ગાયિકાના લગ્નથી પાટીદાર સમાજમાં કેમ ઉઠ્યો આક્રોશ?
Riddhi Rajpara: આરતી સાંગાણી બાદ વધુ એક ગાયિકાના લગ્નથી પાટીદાર સમાજમાં કેમ ઉઠ્યો આક્રોશ?
આવતીકાલે લેવાનારી NEET UG 2026 પરીક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, કરાઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
આવતીકાલે લેવાનારી NEET UG 2026 પરીક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, કરાઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
રાજ્યની 8,000થી વધુ ST બસોમાં QR કોડથી અપાશે ફીડબેક, હવે એક સ્કેનથી દૂર થશે તમારી બધી ફરિયાદો
રાજ્યની 8,000થી વધુ ST બસોમાં QR કોડથી અપાશે ફીડબેક, હવે એક સ્કેનથી દૂર થશે તમારી બધી ફરિયાદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીલબાજોનો પોલીસને પડકાર
Hun To Bolish : હું તો બોલીશ : ડમી સ્કૂલનું કોચિંગ ક્લાસ કનેક્શન
Morbi Farmer Andolan: મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનમાં મોટી જાહેરાત
Amreli Water Logging : વરસાદે અમરેલી પ્રશાસનની ખોલી પોલ, શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
CM Bhupendra Patel BIG Statement: ચોમાસાના વિલંબ પર મુખ્યમંત્રીનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈના સૌથી હાઈપ્રોફાઈલ લગ્ન: રાહુલ ગાંધીથી લઈ અંબાણી-અદાણી, મોહન ભાગવત અને અમિતાભ-શાહરુખે આપી હાજરી
મુંબઈના સૌથી હાઈપ્રોફાઈલ લગ્ન: રાહુલ ગાંધીથી લઈ અંબાણી-અદાણી, મોહન ભાગવત અને અમિતાભ-શાહરુખે આપી હાજરી
આગામી 3 કલાકમાં અમદાવાદ-ગાંધીનગર સહિત 8 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ-ગાંધીનગર સહિત 8 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ઈરાને ફરી બંધ કર્યું 'હોર્મુઝ સ્ટ્રેટ', અમેરિકા-ઈઝરાયેલ પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ
ઈરાને ફરી બંધ કર્યું 'હોર્મુઝ સ્ટ્રેટ', અમેરિકા-ઈઝરાયેલ પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ
આવતીકાલનું હવામાનઃ કાલે 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણી લો હવામાન વિભાગનો નવો રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણી લો હવામાન વિભાગનો નવો રિપોર્ટ
‘તમારા કામથી કામ રાખો...’ ટ્રમ્પની ફોટો ટિપ્પણી પર ઇટાલીના PM મેલોની ભડકી, જાણો શું કહ્યું...
‘તમારા કામથી કામ રાખો...’ ટ્રમ્પની ફોટો ટિપ્પણી પર ઇટાલીના PM મેલોની ભડકી, જાણો શું કહ્યું...
ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર
પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર, ખાતામાં ₹2,000 આવ્યાનો મેસેજ ન આવ્યો હોય તો કરો આ કામ
પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર, ખાતામાં ₹2,000 આવ્યાનો મેસેજ ન આવ્યો હોય તો કરો આ કામ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 16 જેટલી એન્ટિબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર મૂક્યો પ્રતિબંધ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 16 જેટલી એન્ટિબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર મૂક્યો પ્રતિબંધ
Embed widget